ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાધુ વાસવાણી રોડ પર ચોકીદાર આધેડ સહિત બેના હાર્ટએટેકથી મોત

04:05 PM Jan 08, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનો કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મૃત્યુ નીપજ્યા છે. સાધુ વાસવાણી રોડ પર નેપાળી ચોકીદારનુ અને ગોંડલ ચોકડી પાસેથી મળેલા તાલાલાનુ યુવાનનુ હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ.જાણવા મળતી વિગત મુજબ મુળ નેપાળના અને હાલ સાધુ વાસવાણી રોડ પર અવધ એપાર્ટમેન્ટમાં સીકયુરીટી રૂમમાં રહેતા અને ચોકીદાર કરતા નંદેભાઇ ધનપતિ ઢોલી (ઉ.વ.49) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતા.

ત્યારે એકાએક ઢળી પડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મોત થયાનુ જણાવ્યુ હતુ.બીજા બનાવમા ગોંડલ રોડ ચોકડી ઓવરબ્રીજ પાસેથી ગઇકાલે અજાણ્યા પુરૂષ બેભાન હાલતમા મળી આવતા સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા જયા તેમનુ મોત નીપજયુ હતુ. પોલીસ તપાસમા મૃતક તાલાલા ગીરના વિજયભાઇ નારણભાઇ વાળા (ઉ.વ. 40) હોવાનુ અને તેઓ એકાદ વર્ષથી ઘરેથી નીકળી રખડતુ ભટકતુ જીવન જીવતા હોવાનુ જાણવા મળ્યુ છે. તેમનુ મોત હાર્ટ એટેકથી થયાનુ જાણવા મળ્યુ છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement