ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં નહાવા પડેલા બે બાળકોના મોત

01:38 PM May 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મૃતક મામા-ફઈના ભાઈઓ, પરિવારોમાં શોકનો માહોલ

Advertisement

સુરેન્દ્રનગરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે.તો બીજી તરફ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સુરેન્દ્રનગરના ગૌતમગઝ નજીક ભોગાવો નદીમાં બે બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે બે ભાઈઓ નદીમાં ન્હાવા પડ્યા હતા. અચાનક તેઓ વધુ અંદર ખેંચાઈ ગયા હતા. બન્ને મામા- ફઈના ભાઈઓ હતો.

બન્ને બાળકોની ઓળખ કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર તરીકે થઈ છે. બાળકો અચાનક ડૂબતા તેમણે બૂમો પણ મચાવી હતી, પણ કમનસીબે તેમનો જીવ બચ્યો નહોતો. બન્ને બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બાળકો ડૂબવાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કરી હતી.
ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Tags :
deathgujaratgujarat newsSurendranagarSurendranagar news
Advertisement
Advertisement