ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ સહિત રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી

04:47 PM Mar 07, 2025 IST | Bhumika
Advertisement

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં પાટણ, ધોરાજી, પાલીતાણા, સિદ્ધપુર, દાંતા, ગોધરા, ભુજ, રાજુલા, અંજાર, વેરાવળ, તળાજા, સાવરકુંડલા, મોરબી, સમી, લાખણી, કોડીનાર, વાદળી, ચાણસ્મા, લાઠી, લીલીયા, કામરેજ, પાલનપુર, થરાદ, વડગામ, કાંકરેજ તાલુકાઓનો સમાવેશ થાય છે.

Advertisement

શિણણ વિભાગ દ્વારા આજે કરાયેલા બદલીના ઓર્ડરમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી કાજલ જાનીની જેતપુર ખાતે, પાલીતાણાના ડી.ડી. રામાનુજની જસદણ, અમરેલીના સાવરકુંડલાના એસ.પી. ડાંગરની રાજકોટ તાલુકા કચેરીમાં, ગીર સોમનાથના કોડીનારના મનીષલાલ વન્ડ્રાની વિંછીયા કચેરી ખાતે ટ્રાન્સફર કરાઇ છે.

ઉપરાંત ભુજના હસુમતીબેન પરમારની પાટણના સરસ્વતીમાં, રાજુલાના હિનાબેન ચાંવની બગસરા, અંજારના જી.જે. અઘેરાની ભાવનગરના ગારીયાધાર, વેરાવળના એચ.આર. હડીયાની ગાંધીનગર, તળાજાના માધવસિંહ પરમારની આણંદના ઉમરેઠમાં મોરબીના દિનેશ ગરચરની જોડીયા, લાઠીના અજયકુમાર જોષીની શિહોર, લીલીયાના અતુલ મકવાણાની તળાજા કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsPrimary Education Officersrajkotrajkot newsTeacherteacher transfer
Advertisement
Next Article
Advertisement