For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંઢેરા ગામે નવ વર્ષના બાળકનું ડૂબી જવાથી કરુણ મોત

12:44 PM Oct 08, 2024 IST | admin
ખંઢેરા ગામે નવ વર્ષના બાળકનું ડૂબી જવાથી કરુણ મોત

ફુલઝર નદીમાં નહાતી વેળા ઊંડા પાણીમાં ગરકાવ થયો

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા અને અભ્યાસ કરતા નવ વર્ષના એક બાળકનું ફુલઝર નદીમાં નહાવા માટે પડતાં ડૂબી જવાથી કરૂૂણ મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મહીસાગરના વતની અને હાલ કાલાવડ તાલુકા ના ખંઢેરા ગામમાં રહેતા ખેડૂત વિજયભાઈ નારણભાઈ સંઘાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા અરવિંદભાઈ અખમભાઈ ડામોર નામના આદિવાસી ખેત મજુર નો નવ વર્ષનો પુત્ર યુવરાજ કે જે ગઈકાલે બપોરે 12.00 વાગ્યાના અરસામાં ખંઢેરા ગામ પાસે આવેલી નદીમાં નાહવા માટે પડ્યો હતો.

Advertisement

જે દરમિયાન એકાએક ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા અરવિંદભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement