For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગણેશ ચતુર્થી પહેલા પાદરાના ડબકા ગામમાં દુર્ઘટના!! ગણેશ પંડાલ બાંધતી વખતે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું ઘટનાસ્થળે જ મોત

10:57 AM Sep 04, 2024 IST | Bhumika
ગણેશ ચતુર્થી પહેલા પાદરાના ડબકા ગામમાં દુર્ઘટના   ગણેશ પંડાલ બાંધતી વખતે 15 યુવાનોને લાગ્યો કરંટ  એકનું ઘટનાસ્થળે જ મોત
Advertisement

રાજ્યના પાદરા ગામમાં ગણેશ ચતુર્થી પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાદરા તાલુકાના ડબકા ગામમાં વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો. અને ગણેશ પંડાલ સ્થળ પર જ એક યુવાનનું મોત થયુ હતું.

ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે..

Advertisement

આ દુર્ઘટનામાં 14 યુવાનોને શરીરના વિવિધ ભાગો પર ઈજાઓ પહોંચી હતી. પંડાલ બાંધતી વખતે લોખંડની એંગલ ત્યાંથી પસાર થતાં હાઈટેન્શન લાઈનને અડી જતા આ દુર્ઘટના બની હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement