રણજીત રોડ પર સતત ચાર કલાક ટ્રાફિક જામ સર્જાયો
12:36 PM Feb 11, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
જામનગર શહેરના હૃદય સમા રણજીત રોડ પર બેડી ગેટ વિસ્તારમાં આજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સવારના 10 વાગ્યાથી શરૂૂ થયેલ ટ્રાફિક જામ બપોરના 2 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામનું મુખ્ય કારણ રસ્તા પર વાહનોની અવરજવરનું પ્રમાણ વધવું હતું. રણજીત રોડ એ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી અહીં સતત વાહનોની અવરજવર રહે છે. આજે સોમવાર હોવાથી લોકોની અવરજવર વધુ હતી, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામની સૌથી મોટી સમસ્યા એ હતી છતા, ઘટનાસ્થળે એક પણ ટ્રાફિક પોલીસ હાજર ન હતી. જેના કારણે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. લોકોએ જાતે જ ટ્રાફિકમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી.
Next Article
Advertisement