ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાવરકુંડલા મેઈન બજારમાં જાહેર મૂતરડીની દુર્ગંધથી વેપારીઓ ત્રાહિમામ

11:50 AM Oct 04, 2025 IST | Bhumika
Advertisement

શાહીવાળી ગલી, મેઈન બજારમાં સ્થિત જાહેર મુતરડીમાં ગંભીર ઉભરાણીની સમસ્યાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. તારીખ 30/09/2025થી આ સમસ્યા વધુ વકરી છે,જેના કારણે વેપારીઓને દુકાનોમાં બેસવું પણ મુશ્કેલ બન્યું છે.આ દુર્ગંધથી બજારનું વાતાવરણ બગડ્યું છે, જેની અસર વેપાર અને ગ્રાહકોની અવરજવર પર પણ પડી રહી છે.

Advertisement

આ મુદ્દે સ્થાનિક વેપારીઓએ નગરપાલિકામાં તા. 01/10/2025ના રોજ નામજોગ ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. વેપારીઓની પ્રાથમિક અને એકમાત્ર માંગ છે કે જાહેર મુતરડીની નિયમિત અને દરરોજ સફાઈ કરવામાં આવે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે. વેપારીઓ સાવરકુંડલા નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલાં લઈને જાહેર મુતરડીની સફાઈની વ્યવસ્થા નિયમિત કરવામાં આવે, જેથી વેપારીઓ અને નાગરિકોને રાહત મળે.

Tags :
gujaratgujarat newsSavarkundlaSavarkundla news
Advertisement
Next Article
Advertisement