રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાર્ટએટેકથી રાજકોટમાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી

01:16 PM Oct 01, 2024 IST | admin
Advertisement

શ્રમિક પરિણીતા, પ્રૌઢા અને આધેડને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી હૃદયરોગના હુમલાના કારણે કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ત્રણ માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૈયા ગામ નજીક રહેતી શ્રમિક પરિણીતા ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા પ્રૌઢા અને નવલનગરમાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રૈયાગામ નજીક સમરસ હોસ્ટેલ નજીક રહેતી શાંતિબેન બાબુભાઈ ડામોર નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક શાંતિબેન ડામોર મુળ મધ્યપ્રદેશની વતની હતી અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. શાંતિબેન ડામોર અને તેના પતિ બાબુભાઈ ડામોર ટીપરવાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.

બીજા બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવેલા ધરમનગર આવાસ યોજનાના કવાટર્સમાં રહેતા રેખાબેન વસંતલાલ રાઠોડ નામના 52 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતા ત્યારે રાત્રીનાં ત્રણેક વાગ્યે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક રેખાબેન રાઠોડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત ત્રીજા બનાવમાં મવડી મેઈન રોડ પર આવેલા નવલનગરમાં રહેતા નરેન્દ્રભાઈ નટુભાઈ ડાભી નામના 48 વર્ષના આધેડ બપોરના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવતાં છાતીનો દુ:ખાવો ઉપડયો હતો.

આધેડને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં આધેડે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક નરેન્દ્રભાઈ ડાભી ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheartaattctrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement