રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૂરજકરાડીના યુવાને લગ્ન ન થતા ટ્રેન હેઠળ ઝંપલાવી જીવ દીધો

11:57 AM Jul 29, 2024 IST | admin
Advertisement

બીમારીથી કંટાળી સણખલાના યુવાનનો ઝેર પી આપઘાત

Advertisement

ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતા સંજયભાઈ દેવાભાઈ વેગડા નામના 28 વર્ષના યુવાન કે જેની લગ્ન કરવાની ઉંમર થઈ ચૂકી હોય અને તેમની સગાઈ કે લગ્ન થતા ન હોવાથી તે છેલ્લા કેટલાક દિવસોથી ગુમસૂમ રહેતો હતો. આ પરિસ્થિતિમાં તેમણે રવિવારે મીઠાપુર નજીકના સુરજકરાડી પાસેથી પસાર થતી ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેમનું ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અમિતભાઈ દેવાભાઈ વેગડા (ઉ.વ. 30) એ મીઠાપુર પોલીસને કરી છે.

બીજા બનાવમાં ભાણવડ તાબેના સણખલા ગામે રહેતા ભાવેશભાઈ ભીખુભાઈ લુદરીયા નામના 22 વર્ષના યુવાનને છેલ્લા આશરે છએક માસથી દાઢનો દુ:ખાવો રહેતો હોય, આ દુખાવો તેમનાથી સહન થતો ન હોવાથી કંટાળીને તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પિતા ભીખુભાઈ નાથાભાઈ (ઉ.વ. 45)એ સ્થાનિક પોલીસને કરી છે.

ચિંતાગ્રસ્ત હાલતમાં મોડપરના મહિલાએ ઝેરી દવા પીધી
ભાણવડ નજીક આવેલા મોડપર ગામે રહેતા મંજુબેન સામતભાઈ વારંગીયા નામના 53 વર્ષના મહિલાને બી.પી.ની બીમારી હોય, તેની ચિંતામાં તેમણે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર જગદીશભાઈએ સ્થાનિક પોલીસને કરી છે.

Tags :
deathgujaratgujarat newsokhanewssurajkaradisurajkaradinews
Advertisement
Next Article
Advertisement