For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંગઠનની તાકાત વિસાવદરમાં પૂરી થઈ ગઈ: જવાહર ચાવડા

04:25 PM Jul 19, 2025 IST | Bhumika
સંગઠનની તાકાત વિસાવદરમાં પૂરી થઈ ગઈ  જવાહર ચાવડા

ઈટાલીયાની જીતમાં ખોબલે ખોબલે મત આપનાર આહીર સમાજનાં 13 ગામડામાં જવાહર ચાવડાનું મિનિ વિજય સરઘસ

Advertisement

જૂનાગઢમાં ભાજપ નેતા જવાહર ચાવડા ફરી ચર્ચામાં આવ્યા છે, તેમણે જૂનાગઢમાં આપેલ નિવેદનથી અનેક ચર્ચાઓ શરૂૂ થઈ છે, તેમણે કહ્યું કે, સંગઠનની તાકાત વિસાવદર હદમાં પુરી થઈ છે અને વિસાવદરમાં નવા વ્યવહાર અને સંબંધો ચાલુ થયા છે, સૌથી મોટી વાત આ વિસ્તારમાં બની છે તમે સંગઠિત થયા છો તેવું નિવેદન જવાહર ચાવડાએ આપ્યું છે. આહીર સમાજનાં એક કાર્યક્રમમાં જવાહર ચાવડાએ કહ્યું કે, મારે તમારો રાજકીય લાભ નથી જોઈતો અને વિસાવદર તાલુકામાં સમાજ બનાવજો અને એક સાથે રહેજો,
તમને જયાં જરૂૂર હશે ત્યાં હું ઉભો રહીશ તેમણે વિસાવદરના તાલુકાના ગામડાઓ પ્રવાસ કર્યો હતો, વિસાવદરના જે 13 ગામમાંથી ગોપાલ ઈટાલિયાને ખોબલે ખોબલે મત મળ્યા એ 13 ગામની ભાજપના જવાહર ચાવડાએ મુલાકાત કરી છે. ન માત્ર મુલાકાત કરી પરંતુ અહીં તેઓ ઘોડા પર બેઠેલા દેખાયા. જાંબુડાના ગ્રામજનોએ ઘોડા પર બેસાડીને સરઘસ કાઢી તેઓનું સ્વાગત કર્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement