ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રિંગ રોડ હવે ખરેખર 150 ફૂટનો કરાશે

03:41 PM May 29, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

માધાપર સર્કલથી ગોંડલ રોડ ચોકડી સુધીના 11 કિ.મી.ના રોડ ઉપરથી સાઇકલ ટ્રેક સહિતની અડચણો હટાવાશે

Advertisement

સંપૂર્ણ નવી ડિઝાઈન બનાવી રોડ પહોળો કરવાની યોજના માટે સરવે સહિતની કામગીરી કરવા બરોડા-અમદાવાદમાં રિંગ રોડ બનાવનાર ક્ધસલ્ટન્ટ સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક સંસ્થાની નિમણૂક

આવતીકાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગ દ્વારા 76 દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ કરાઈ

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ાવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેક્ટના ખર્ચ મંજુર કરવા માટે 76 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અનેક અગત્યની પૈકી 150 ફૂટ રીંગ રોડનું નવીનીકરણ કરવા માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવામાં આવશે. બરોડા-અમદાવાદમાં રીંગરોડની ડિઝાઈન બનાવનાર સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા હાલના 150 ફૂટ રીંગ રોડનો સર્વે કરી 11 કિ.મી.ના રોડ ઉપર આવતા સાયકલ ટ્રેક સહિતના અડચણો દૂર કરી રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે.

સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરના જણાવ્યા મુજબ 2009-10ના 150 ફૂટ રીંગ રોડનું 108 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ હવે 15 વર્ષ બાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રીંગરોડને પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ રીંગ રોડ ઉપર બનાવવામાં આવેલ સાયકલ ટ્રેકનો ઉપયોગ ફક્ત વાહનો પાર્ક કરવા માટે થઈ રહ્યો છે.

તેવી જ રીતે સાયકલ ટ્રેક પમ ઉબડ ખાબડ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. જેની સામે રીંગરોડની બન્ને સાઈડ આવેલ એકમો દ્વારા વાહન પાકિંગ કરવાની સેંકડો ફરિયાદો આવેલ છે. જેના લીધે 150 ફૂટનો રીંગ રોડ વાહન ચાલકો માટે ફક્ત 50 ફૂટનો રહી જાય છે. આથી બરોડા અને અમદાવાદના રીંગરોડની માફક રોડ પહોળો કરવામાં આવે તો વાહન ચાલકોની સમસ્યા હલ થાય તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટી શકે છે. આથી મહાનગરપાલિકાએ હાલ ક્ધસલ્ટન્ટની નિમણુંક કરી માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના 11 કિલોમીટરના 150 ફૂટ રીંગ રોડને પહોળો કઈ રીતે કરવો અને ક્યા પ્રકારની અડચણો દૂર કરવા સહિતનો સર્વે કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ નવીડિઝાઈન તૈયાર કરી તે મુજબનો રીંગરોડ બનાવવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજૂ કરવામાં આવેલ 67 દરખાસ્તો પૈકી ઝુના પ્રાણીઓ માટે ખોરાક સપ્લાય તેમજ માર્કેટ વિભાગ માટે પાંચ નંગ બોલેરો અને ઝુ શાખા માટે ત્રણ નંગ બેટરીકાર કરીદવાની તથા મનપાના જૂના સ્ક્રેપ વાહનોનું ઓક્શનથી વેચાણ કરવા તથા જુદા જુદા સ્થળોએ આવેલ શાકમાર્કેટના ભાડાના દર નક્કી કરવા તેમજ તહેવારો દરમિયાન ઉજવણી અનવયે યોજવામાં આવેલ કાર્યક્રમોમાં ચુકવેલ ખર્ચનું બીલ મંજુર કરવા સહિતની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જે તમામ સર્વાનુમતે મંજુર કરવામાં આવશે.

એચસીજી હોસ્પિટલ પાછળ મનપા બનાવશે પાર્ટી પ્લોટ
મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગથ વેસ્ટઝોનમાં વોર્ડ નં. 11માં નવો પાર્ટી પ્લોટ બનાવવા માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરી છે. અને સેન્ટ્રલઝોન વિસ્તારમાં લોકો માટે પાર્ટીપ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થળ પરસંદગી મુજબ શિતલપાર્ક મેઈન રોડ ઉપર આગળ એચસીજી હોસ્પિટલની પાછળ આવેલ મનપાના ખાલી પ્લોટ ઉપર રૂા. 4.23 કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવવામાં આવશે. જેમાં પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ, કિચન, વર-વધુના રૂમ, સ્ટોર રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, ઓફિસ, ટોઈલેટ બ્લોક, વોશ એરિયા, પાર્કિંગ, લોન એરિયા, પ્લમ્બીંગ કામ, લબેઝિક ફર્નિચર, ફાયર સેફ્ટી તેમજ કિચન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. 830 ચો.મી.ના બિલ્ડઅપ એરિયામાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે.

ન્યારી ડેમ ખાતે 25 MLDનો ફિલ્ટર પ્લાન્ટ બનશે

શહેરના વેસ્ટઝોનમાં વિસ્તાર વધતા તેમજ વસ્તી વધારા સામે પીવાના પાણીની કટોકટી નિવારવા મનપા દ્વારા સેન્ટ્રલઝોન વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ અંતર્ગત વેસ્ટઝોનમાં હયાત ન્યારી ફિલ્ટર પ્લાન્ટના કેમ્પસમાં નવા 25 એમએલડી કેપેસીટીના ફિલ્ટર પ્લાન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જે અંતર્ગત બે એજન્સી ક્વોલીફાઈ થઈ છે. આથી રૂપિયા 11.80 કરોડના કર્ચે ફિલ્ટ પ્લાન્ટ તૈયાર કરી તેમાં ફિલ્ટર થયેલ પાણી વેસ્ટઝોનના નવા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે.

ખર્ચના 10 ટકા આપી લોકો બોર રિચાર્જ કરાવી શકશે
ચોમાસુ નજીક આવતા મહાનગરપાલિકાએ બોર રિચાર્જ યોજના અમલમાં મુકી છે. જેમાં રેઈન વોટર, હાર્વેસ્ટીંગ સિસ્ટમને જનભાગીદારી સાથે સાંકડી લેવામાં આવેલ છે. નિયમ અનુસાર બોર રિચાર્જ કરવા માટે કોઈ પણ એપાર્ટમેન્ટના એસોસીએશન દ્વારા અરજી કરવામાં આવશે ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ બોર રિચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે. રૂા. 25 હજારના ખર્ચે 1 બોર રિચાર્જ થશે જેમાં જનભાગીદારી હેઠળ એસોસીએસને ફક્ત 10 ટકા રકમ ચુકવવાની રહેશે બાકીની રકમ તંત્ર દ્વારા ભોગવવામાં આવશ.ે આથી ચોમાસા દરમિયાન બોર રિચાર્જ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

શાકમાર્કેટોમાં હવે સફાઈ ચાર્જ વસૂલાશે

મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં શાકમાર્કેટ તેમજ ફ્લાવર માર્કેટ બનાવવામાં આવી છે. જેના માટે થડા, ઓટા, સ્ટોલ, વખાર, દુકાન, તમામ માસીક લીઝ ચાર્જ રૂા. 500 ઠરાવ મુજબ વસુલવામાં આવી રહ્યું છે. આ તમામ માર્કેટની વહીવટી તથા સફાઈની કામગીરી માટે અલાયદો સ્ટાફ રોકવામાં આવ્યો છે. તેવી જ રીતે માર્કેટ રીપેરીંગ, રિનોવેશન, લાઈટબીલ અને સિક્યોરીટી વગેરે માટે પણ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય તમામ શાકમાર્કેટોમાં સફાઈ સહિતની કામગીરી સુવ્યવસ્થિત થાય તે માટે દરેક માર્કેટમાંથી સફાઈ કામગીરી અંતર્ગત રૂા. 500 સફાઈ કર વસુલવામાં આવશે. જેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે. મંજુર થયા બાદ મહાનગરપાલિકા દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે. સફાઈકર વસુલવાની તારીખ જાહેર કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement