પોલીસ ખાણી-પીણી ચા-પાનના ગલ્લા બંધ કરાવતાં પહેલાં દારૂ-જુગારનું દૂષણ દૂર કરે
છેલ્લા ચાર દિવસથી રંગીલા રાજકોટને કોનું ગ્રહણ લાગલું ભેય એવો માહોલ રાજકોટ શહેર પોલીસ રાત્રીના 11 વાગતા જ રાજકોટ શહેરના ખાણી-પીણી તેમજ ચા-પાનની દુકાનો અને લારીઓ ઉપર જઈ બંધ કટાવવા દબાણ કરાવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસ એકશન મોડમાં આવી રહી હોય તો આ કામ પોલીસનું પ્રજાજનો હિત માટે 365 દિવસ કરવાનું હોય પણ જયા ન્યુસન્સ અને અસામાજિક તત્વો વિરુદ્ધ હાલ રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્ગા જાળવવામાં પોલીસ નિષ્ફળ રહેલ અને તેનો સિધો માર ચા-પાનની દુકાન, ખાણીપીણીનો ધંધો કરી ગુજરાન ચલાવતા નાના વેપારી ઉપર જે દમન થઈ રહયુ છે તે કેટલુ વ્યાજબી ?
ગુનેગારો સામે ચિંગમ અને સામાનય પ્રજાજનો સામે સિંધમ બનવું સહેલુ છે રાજકોટ શહેર પોલીસની મહત્વપૂર્ણ કહેવાતી બ્રાન્ચ પૈકી ડીસીબી, પીસીબી, એસ.ઓ.જી તથા જેત વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બનાવતા પોલીસ કર્મચારીઓને રાજકોટના ભુગોળથી વાકેફ છે તો આ પછી જયાં ખરેખર વિદેશદારૂૂ, દેશી દારૂૂ, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાલતા હોય ત્યાં કેમ રાજકોટ શહેર પોલીસ ગેરહાજર જોવા મળે છે તો સૌ પ્રથમ તો રાજકોટની પ્રજાને આ દુષણમાંથી મુક્ત કરાવવી એ રાજકોટ શહેર પોલીસની મહત્વપૂર્ણ ફરજ બને છે નહી કે રાત્રીના સમયે ખાણી પીણી ચા-પાનના ગલ્લાઓ બંધ કરાવવા થી નહી દુર થઈ શકે. આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓએ શહેર પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
