For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘરમાં બૈરું પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે : નીતિન પટેલ

01:27 PM Mar 27, 2024 IST | Bhumika
ઘરમાં બૈરું પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે   નીતિન પટેલ

ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર શબ્દ બાણ છોડ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ પર નીતિન પટેલે વિરોધીઓ પર ચાબખા માર્યા હતા. પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી સલાહ આપતા નેતાઓને આડેહાથ લીધા છે. નીતિન પટેલે કહ્યું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા...

Advertisement

જેના ઘરમાં બૈરૂૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે... આવા નેતાઓને સલાહ આપવાનું બંધ કરવા નીતિન પટેલે સ્પષ્ટ સૂચના આપી છે. ન માત્ર નીતિન પટેલ પણ વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે પણ કહ્યું કે લોકો અમને સલાહ આપે છે તે પહેલા પોતાનું ભલું કરે અને અમને સલાહ આપવાનું બંધ કરે.

મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ માં ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમને લઈ એક સભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતાં. આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર પી પટેલ, ભાજપ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ મંચ ઉપરથી નીતિન પટેલે ફરી એકવાર શબ્દોમાં છોડ્યા હતા. જાહેર મંચ ઉપરથી નીતિનભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે અમને સલાહ આપવાનું બંધ કરો જેના ઘરમાં પત્ની પાણીનો ગ્લાસ નથી પીવડાવતી તે અમને આવી સલાહ આપે છે.

Advertisement

તો બીજી તરફ આર પી પટેલે પણ કહ્યું હતું કે લોકો અમને સલાહ આપે છે તે પહેલા પોતાનું ભલું કરે અમને સલાહ આપવાનું બંધ કરે. જોકે સવાલ એ થાય છે કે આ બંને પાટીદાર નેતા ને સલાહ કોણ આપે છે એબીપી અસ્મિતા જ્યારે તેમને પૂછ્યું ત્યારે બંને આ મુદ્દે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement