For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં વૃદ્ધે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

12:08 PM Mar 01, 2024 IST | Bhumika
ખંભાળિયામાં વૃદ્ધે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના લુહારશાળ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે ગઈકાલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના લુહારશાળ વિસ્તારમાં આવેલી સાંકડી શેરીમાં રહેતા જીગ્નેશભાઈ નરેશભાઈ પરમાર નામના 39 વર્ષના યુવાન દ્વારા અહીંના પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ તેમના પિતા નરેશભાઈ રામજીભાઈ પરમાર (ઉ.વ. 68) એ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે ગુરુવારે પોતાના ઘરે પોતાના હાથેથી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ખંભાળિયા પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement