ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મિગકોલોનીના જંગલેશ્ર્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જૂના બાંધકામનો હિસ્સો દૂર કરાયો

01:40 PM Jul 26, 2025 IST | Bhumika
Advertisement

જામનગરમાં ગવર્મેન્ટ કોલોનીની પાછળ મિગકોલોની પાસેના વિસ્તારના જંગલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે, ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા આરટીઓની જૂની કચેરીથી મિગ કોલોની સુધીના માર્ગે નવો રોડ બનાવવામાં આવી રહ્યો હોવાથી તે મંદિરનું સ્થળાંતર કરાયું છે.

Advertisement

મંદિરના ટ્રસ્ટીઓ વગેરેએ રોડની સાઈડમાં બાજુની જગ્યામાં જ નવું મંદિર તૈયાર કરી લીધું છે, અને તે સ્થળે શિવલિંગ તથા અન્ય મૂર્તિ વગેરેની પ્રાણ પ્રતિષ્ઠા કરી લેવાઇ હતી. ત્યારબાદ શ્રાવણ માસના પ્રથમ દિવસે જ નવા મંદિરમાં સેવા પૂજા ચાલુ કરી દીધી છે, જ્યારે જુના મંદિર વાળો હિસ્સો કે ત્યાં ડિમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું, અને જૂના મંદિરના બાંધકામ વાળા હિસ્સાને દૂર કરીને રસ્તો કાઢવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsmahadev temple
Advertisement
Next Article
Advertisement