શહેરમાં શરદી-તાવ-ઉઘરસનો કહેર યથાવત, 2179 નવા કેસ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શરદી-તાવ-ઉઘરસના કેસમાં સતત વધારો જોવાતા નવા 2179 કેસ નોંધાયા છે. જયારે ડેન્ગ્યુ-3 અને કમળાના -2 નવા કેસ આવતા રહેણાંક અને કોર્મ્શિયલ એકમોમાં મચ્છર ઉત્પતી સબબ 81 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.
મચ્છર જન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક સપ્તાહ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 16749 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 683 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.