ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં મીશ્ર ઋતુથી રોગચાળો વધ્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

01:59 PM Nov 07, 2025 IST | admin
Advertisement

જામનગર સહિતના વિસ્તાર માં બેવડી સિઝન ના કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ ની બેકાબુ ભીડ જોવા મળી રહી છે.

Advertisement

શિયાળાની સિઝન નો ધીમા પગલે પ્રારંભ થઈ રહ્યો છે. મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક નો અહેસાસ અનુભવાઈ રહ્યો છે, જ્યારે બપોરે હજુ ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે, તો સાથોસાથ હજુ વાતાવરણમાં માવઠાની અસર પણ જોવા મળે છે. આમ મિશ્ર ઋતુના કારણે બીમારીનું પ્રમાણ વધવા પામ્યું છે. ઘરે ઘરે શરદી-ઉધરસ, તાવ, પેટ ની બીમારી વિગેરે રોગના દર્દીઓ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર ની સૌથી મોટી જામનગર ની જી.જી. હોસ્પિટલ માં દર્દીઓ ની ભારે ગીર્દી જોવા મળી રહી છે. કેસ મેળવવા, ડોક્ટરને બતાવવા અને દવા બારીમાંથી દવા લેવા માટે દર્દીઓ ની લાંબી કતારો જોવા મળી રહી છે. કેસ બારી માં લાઈનો જોવા મળે નહીં તે માટે આભા કાર્ડ, નોંધણી ની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ લોકો ઓછા પ્રમાણ માં તેનો લાભ લઈ રહ્યા છે, જે માટે જાગૃતિ લાવવાની જરૂૂર છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement