For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરના જાલસીકા ગામે નદીમાં ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ મળ્યો

11:35 AM Sep 03, 2024 IST | admin
વાંકાનેરના જાલસીકા ગામે નદીમાં ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ મળ્યો

ગત રવિવારે યુવાન પાણીના વહેણમાં તણાઈ ગયેલ

Advertisement

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં પાણીના વહેણમાં રવિવારે વહેલી સવારે એક યુવાન કોઇ કારણોસર તણાઈ ગયો હતો, જેથી બનાવની જાણ થતા સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ વાંકાનેર, મોરબી, રાજકોટ તથા હળવદની તરવૈયોની ટીમ દ્વારા શોધખોળ શરૂૂ કરવામાં આવી છે, જેમાં 32 કલાકની લાંબી જહેમત બાદ યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં રવિવારે રવિવારે વહેલી સવારે ભાવેશભાઈ રાવતભાઇ ડાંગર (ઉ.વ. 40, રહે. જાલસીકા) નામનો યુવાન કોઈ કારણોસર પાણીના વહેણમાં તણાઈ ગયો હતો, જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી આર. એમ. કોંઢીયા સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

અને તાત્કાલિક મોરબી, રાજકોટ તથા હળવદથી ફાયર વિભાગની ટીમની મદદ બોલાવી યુવાનની પાણીમાં શોધખોળ શરૂૂ કરવામાં આવી હોય, જેમાં 15 તરવૈયાઓની ટીમની લાંબી જહેમત બાદ 32 કલાકે યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો, જેનું હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હોવાની માહિતી મળી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement