સ્ટેડિયમમાં જામ્યો માહોલ, ક્રિકેટ રસિયા મોટી સંખ્યામાં ઊમટ્યા
01:10 PM Feb 15, 2024 IST
|
Bhumika
Advertisement
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આજથી શરૂ થયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. અને ધૃવ જુરેલ તથા સરફરાઝ ખાનને ટેસ્ટ કેપ આપી છે ત્યારે ભારતીય બેટિંગ આવતા ટેસ્ટ મેચ હોવા છતાં ખંઢેરી ખાતેના નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રસિયાઓ ભારતીય ક્રિકેટ જર્સી અને ઝંડા લઈને પહોંચ્યા હતાં. ક્રિકેટ મેદાન બહાર જબરો માહોલ જોવા મળ્યો હતો. ત્રીજી ટેસ્ટ મેચ ભારત જીતશે તેવા આશાવાદ સાથે ક્રિકેટ રસિયાઓ ટિકિટ લઈને મેચ માણવા પહોંચ્યા હતાં. અમુક ઈંગ્લેન્ડના સમર્થકો પણ રાજકોટમાં ટેસ્ટ મેચ જોવા પહોંચ્યા છે.
Advertisement
Next Article
Advertisement