For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નિરંજન શાહ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચમાં જામ્યો વન-ડે જેવો માહોલ

04:23 PM Feb 19, 2024 IST | Bhumika
નિરંજન શાહ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચમાં જામ્યો વન ડે જેવો માહોલ
  • રવિવારની રજા હોવાથી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઇ ગયું, યશસ્વી જયસ્વાલની ફટકાબાજી અને ભારતની રેકોર્ડબ્રેક જીતથી પ્રેક્ષકોને મોજ પડી ગઇ

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટમેચમાં ગઇકાલે રવિવારે ચોથા દિવસે જ ભારતે ઇંગ્લેન્ડની ટીમને ધુળચાટતી કરી સૌથી મોટો વિજય મેળવ્યો હતો. ગઇકાલે રવિવાર હોવાથી સ્ટેડીયમ ખીચોખીચ ભરાઇ ગયુ હતું અને સ્ટેડિયમમાં વન-ડે જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. પ્રથમ ત્રણ દિવસ ખાલી રહેલુ સ્ટેડિયમ ગઇકાલે રવિવારની રજાના કારણે ચિક્કાર ભરાઇ ગયુ હતું. ક્રિકેટ રસિયાઓએ સવારથી જ ટેસ્ટ મેચની ટિકિટો લેવા પડાપડી કરી હતી. ભારતીય બેટસમેન યશસ્વી જયસ્વાલની ફટકાબાજી સાથે બેવડી સદી અને ઉભરતા બેટસમેન સરફરાજખાનની બેટીંગ નિહાળી પ્રેક્ષકો મોજમાં આવી ગયા હતા અને ત્યારબાદ માત્ર 122 રનમાં ઇંગ્લિશ ટીમનો ઢાળીયો થઇ જતા પ્રેક્ષકોના પૈસા વસુલ થઇ ગયા હતા. એકંદરે ક્રિકેટ રસિયાઓનો રવિવાર સુધરી ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement