અમદાવાદ, દિલ્હી અને લખનઉમાં હુમલાની યોજના બનાવનાર આતંકવાદી ઝડપાયા
ગુજરાત ATSને મળેલી મોટી સફળતા, ચીનમાંથી તબીબનો અભ્યાસ કરનાર શખ્સે રાયઝીન નામનું ખતરનાક ઝેર બનાવ્યું, પાકિસ્તાનથી ડ્રોન મારફત મોકલેલા 3 પિસ્તોલ અને 30 કારતૂસ કબજે
ગુજરાત એટીએસની ટીમે ત્રણ આતંકવાદીની ધરપકડ કરીને મોટો ખુલાસો કર્યો છે. આ આતંકવાદીઓમાં ચીનથી MBBS કરી ચૂકેલા 35 વર્ષીય ડોક્ટર અહમદ મોહિઉદ્દીન સૈયદ પણ સામેલ છે, જે ISKPથી જોડાયેલા વિદેશમાં બેઠેલા કટ્ટરપંથીઓના સંપર્કમાં હતા. અહમદની સાથે તેમના બે સાથીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી પણ પકડાયા છે. ATSના અનુસાર, આ ત્રણેય અમદાવાદ, લખનઉં અને દિલ્હીમાં આતંકવાદી હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા અને તેમને લાંબા સમયથી દેખરેખમાં રખાયા હતા.
ગુજરાત ATS ના અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણેય આતંકવાદીઓની એક વર્ષથી વધુ સમયથી દેખરેખ કરાઈ રહી હતી. તેમનું લોકેશન સતત ટ્રેસ કરાઈ રહ્યું હતું અને તેની દરેક હરકતો પર નજર હતી. આ ત્રણેય ISISના ખતરનાક વિંગ ISKP (ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ)થી જોડાયેલા બે અલગ અલગ મોડ્યુલનો ભાગ ગણાય રહ્યા છે.
ગુજરાત ATSના DIG સુનીલ જોશીના અનુસાર, હૈદરાબાદ નિવાસી 35 વર્ષીય અહમદ મોહિઉદ્દીન અંગે કેટલાક મહિનાઓથી ઇનપુટ મળી રહ્યા હતા અને તેઓ કટ્ટરપંથી ગતિવિધિઓમાં સામેલ છે. આ આધાર પર ATS તેમની દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું હતું.
ATS એ અહમદને 2 દિવસ પહેલા અડાલજ ટોલ પ્લાઝાની નજીક તે સમયે પકડ્યો, જ્યારે તે કારમાં હથિયાર અને એક લિક્વિડ કેમિકલ લઈને પસાર થઈ રહ્યો હતો. પૂછપરછ બાદ જાણ થઈ કે તે વિદેશમાં બેઠેલા ISKPના આતંકીઓ સાથે સંપર્કમાં હતો. તે અન્ય બે કટ્ટરપંથી યુવકો મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી સાથે મળીને આતંકી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો.
ATSની તપાસમાં સામે આવ્યું કે, આ મોડ્યૂલ ખૂબ જ રેડિકલ હતું અને અમદાવાદ, લખનઉં અને દિલ્હીની ગ્રાઉન્ડ રેકી કરી ચૂક્યા હતા. તેની યોજના કોઈ મોટા ષડયંત્રનું બ્લુપ્રિન્ટ બનાવવાની હતી. સૈયદ મોટું ફંડ મેળવીને મોટા આતંકી હુમલાનો પ્લાન ઘડતો હતો.
ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો, ચીનમાં તબીબી અભ્યાસ કરનાર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક છે, તે સાયનાઇડથી ખતરનાક ઝેર રાયઝિન બનાવી રહ્યો હતો.
અધિકારીઓના અનુસાર, આ પદાર્થ સાયનાઇડથી વધુ ઘાતક છે. તેની થોડી માત્રા પણ મોટા પ્રમાણમાં જાનહાનિ કરી શકે છે. આ મોડ્યૂલ આ લિક્વિડનો ઉપયોગ કયા પ્રકારે કરવાનો હતો તેની તપાસ ચાલી રહી છે.
પૂછપરછમાં અહમદે જણાવ્યું કે, આ હથિયાર રાજસ્થાનના હનુમાનગઢથી મંગાવ્યા હતા. તેઓ તેને ગુજરાતમાં સપ્લાય આપવા આવ્યા હતા અને ડિલિવરી પૂર્ણ કર્યા બાદ હૈદરાબાદ પરત ફરવાના હતા. ATS એ તપાસ કરી રહી છે કે હથિયાર કઈ ચેનલ દ્વારા સપ્લાય નેટવર્કમાં આવ્યા હતા અને કયા લોકો સામેલ હતા. ત્રણેય આતંકવાદી 1 વર્ષથી વધુ સમયથી ATSની રડારમાં હતા. જેમકે તેમણે ગુજરાતમાં હથિયાર બદલવાની માહિતી મળી, ATSએ તાત્કાલિક ઓપરેશન ચલાવીને ત્રણેયની ધરપકડ કરી લીધી. આ સંપૂર્ણ કેસમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સામેલ છે. ATSનો દાવો છે કે આ મોડ્યૂલ કોઈ મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા, જેને સમય રહેતા નિષ્ફળ કરી દેવાયું. આતંકવાદી પાસે પકડાયેલ હથિયાર પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલ્યાની શંકા છે.
