For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રંબામાં તલાટીની બદલી થતા ગ્રા.પં.કચેરીનો ઘેરાવ

05:16 PM Jul 12, 2024 IST | Bhumika
ત્રંબામાં તલાટીની બદલી થતા ગ્રા પં કચેરીનો ઘેરાવ
Advertisement

રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતિ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી. જેમાં ત્રંબામાં ફરજ બજાવતા તલાટી મંત્રી મહેન્દ્રસિંહ જાડેજાનો બદલીમાં સમાવેશ થતા મહિલાઓ દ્વારા તેનો વિરોધ કરી ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કરી અને બદલી રોકવા માંગ કરી હતી. બદલી રોકવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. વિરોધ કરતી મહિલાઓએ કહ્યુ હતુ કે, મંત્રી આવ્યા બાદ ગામનો વિકાસ થયો છે અને ગામ રણીયામણુ બન્યુ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement