For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!

12:56 PM Sep 09, 2024 IST | Bhumika
તળાજાના વેપારીને 2 15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો
Advertisement

ભાવનગર જિલ્લાના તળાજાના એક વેપારી જે મહુવા ચોકડી થી આગળ તેઓનું વેપાર સ્થળ છે.ત્યાં વિજતંત્ર નું થ્રી ફેઈઝ કનેક્શન છે.

વેપારીના જણાવ્યા પ્રમાણે તેઓને બે દિવસ પહેલા પોતાના મોબાઈલ મા પીજીવીસીએલ નું બિલ મળેલ હતું.બિલ ની રકમ હતી રૂૂપિયા બે કરોડ પંદરલાખ બાંસઠ હજાર ઓગણચાલીસ રૂૂપિયા અને સાડત્રીસ પૈસા. બે કરોડ થી વધુ નું બિલ નો મેસેજ મળતાજ કહી શકાય કે ધબકારો ચુકીગયા હતા, પરસેવો વળી ગયો હતો. જોકે તેના ઈલાજ માટે ત્વરીત વેપારી એ વીજ કચેરી પર જઇ ને જવાબદાર અધિકારી ને વાત કરતા તેઓ પણ ચોંકીગયા હતા. ભૂલ સ્વીકારી ને બે કરોડ થી વધુનું બિલ સુધારીને રૂૂ.591.05 કરી આપતા વેપારીને હાંશકારો થયો હતો. તેઓએ ત્યાંજ બિલ ભરપાઈ કરી ને પહોંચપણ મેળવી લીધી હતી. સિસ્ટમ ની ભૂલ ગણોકે સંબધિત વ્યક્તિની.પણ એક ભૂલ માણસ ને ક્યારેક ટેંશનમા મૂકી દયે છે તેનો અનુભવ તળાજા ના વેપારી ને થયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement