ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જાફરાબાદના લાઇટ હાઉસ રોડ પર ગટરના વહેતા ગંદા પાણી સામે તંત્રના આંખ આડા કાન

12:34 PM Dec 21, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

લોકોને ચાલવામાં ભારે હાલાકી: વહેલી તકે સફાઇ કરી પાણી બંધ કરાવવા માંગ

લાઈટ હાઉસ ના જાહેર રોડ ઉપર ઘણા સમયથી વહેતું દુર્ગંધ મારતું ગટરના પાણી સેનીટેશન ના જવાબદાર વિભાગ ના ધ્યાન ઉપર ક્યારે આવશે??જાફરાબાદ લાઈટ હાઉસ ના જાહેર રોડ ઉપર ઘણા સમયથી વહેતાં ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર ચડ્યા છે. પરંતુ રોડ બન્યા ભૂગર્ભ ગટર નું મેનેજમેન્ટ કરવામાં ન આવતા ભૂગર્ભ ગટર ના પાણી નાગરિકો ના પાટું નીચે આવી રહ્યા છે.

અહીં આ રોડ ઉપર થી મોટી સંખ્યામાં રાહદારીઓ પગપાળા લાઈટ હાઉસ ના રમણીય અરબી સમુદ્રનો નજારો માણવા પ્રવાસીઓ જતા હોય પરંતુ અહીં આવેલ મેન રોડ કે જ્યાંથી પસાર થવું પડે તે જ રોડ ઉપર રહેણાંક મકા માલિક નું ગટરનું મળમૂત્ર તથા સાબુ ના ફીણ વાળું પાણી રોડ ઉપર વહી રહ્યું હોય પરંતુ પાલિકા સેનીટેશન વિભાગ દ્વારા ગટરો ની કોઈ પણ જાતની સાફસફાઈ જેવી કામગીરી કરવામાં આવતી ન હોવાથી અવારનવાર દુર્ગંધ મારતાં ડ્રેનેજ નું ગંદુ પાણી થી રાહદારીઓ આ ગંદાં પાણી માંથી ચાલવા મજબૂર બન્યા છે. પરંતુ જેની જવાબદારી છે. તે પાલિકા ના જવાબદાર લોકો જવો તો શું પરંતુ ડોકાવા પણ નથી આવતા લોકોના પગ નીચે થી વહેતું હોવાથી આ ગંધાતા ગટરના પાણી લોકોના પગ નીચે આવી રહ્યા છે. પરંતુ જવાબદાર અધિકારી નુ પેટનું પાણી પણ હલતું નથી આ ગટરના દુર્ગંધ મારતા પાણી ના લીધે અહીં આવતા પ્રવાસીઓ તથા રહેણાંક મકાન માલિકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે.

બહોળી સંખ્યામાં રાહદારીઓ નો અવર-જવર વાળા રોડ ઉપરથી વહી રહ્યું છે. આ ગંધાતા ભૂગર્ભ ગટર ના પાણી બાબતે અવારનવાર અખબાર સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા આ આ અખબાર ના કટિંગ વહીવટી તંત્રના ધ્યાન ઉપર તે ઓનાં વોટ્સઅપ નંબર ઉપર મોકલે પરંતુ કોઈ પણ જાતની સાફસફાઈ કરવામાં આવી ન હોવાથી ભૂગર્ભ ગટરના પાણી ફરી મેન રોડ ઉપર વહેતાં થઈ રહ્યા છે. પરંતુ પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ક્યારે કામગીરી કરવામાં આવ છે. કે પછી સ્વચ્છતા હી સેવા અભિયાન કાગળ ઉપર જ સિમિત રહે છે.

લાઈટ હાઉસ રોડ ઉપર થી અનેક બહાર ગામથી લોકો અરબી સમુદ્ર જોવા માટે આવતા હોય છે. પરંતુ રોડ ઉપર વહેતું ભૂગર્ભ ગટર પાણી થી આવતા પ્રવાસીઓ પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે. પરંતુ જવાબદાર વિભાગ ક્યારે ધ્યાન ઉપર લઇ આ ઉભરાતા દુર્ગંધ મારતાં ડ્રેનેજ નાં પાણી વહેતાં ક્યારે રોકી સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ છે. અહીં બાજુમાં એક તળાવ પર આવેલ છે. આ તળાવ માંથી પક્ષીઓ માલઢોર પાણી પીતા હોય પરંતુ આ તળાવમાં ભૂગર્ભ ગટર ના પાણી આ તળાવનું પાણી દુષિત થાય રહ્યું છે. અને પર્યાવરણ ને પણ નુકસાન પહોંચી રહ્યું હોય પરંતુ જવાબદાર લોકો આ ભૂગર્ભ ગટર ના પાણી રોકવા કે ગટરો ઉભરાતી રોકવા માટે ની સાફસફાઈ માટે ની કામગીરી ક્યારે કરવામાં આવશે આ બાબતે અહીં રહેતા નાગરિકો દ્વારા મૌખિક રજૂઆતો પરંતુ પાલિકા સેનીટેશન વિભાગ દ્વારા ધ્યાન ઉપર ક્યારે લેવામાં આવ છે.

અહીં ના લોકો નર્ક સમાન જિંદગી જીવવા મજબૂર જાગૃત જણો દ્વારા અનેકવાર રજૂઆતો છતાં કામગીરી કરવામાં ઠાગાઠૈયા પરંતુ કુંભકર્ણની નિદ્રામાં સુતેલું પાલિકા તંત્ર કામગીરી કરવામાં આવતી નથી ઘણા સમયથી સમસ્યા એમની એમ અહીંયા રહેણાંક મકાન બાજુમાં પાલિકા દ્વારા બનાવાયેલ ગટરો સાંકડી હોવાથી અવારનવાર ગટરો ઉભરાતા દુર્ગંધ મારતાં ગટરોનું પાણી મેન રોડ ઉપર વગર ચોમાસા જેમ નદી જેમ વહી રહ્યું છે. રોજબરોજ ગટરનું પાણી વહી રહ્યું છે. આ ગંદા પાણી થી રાહદારીઓ ત્રાહિમામ પોકારી નગરપાલિકા ગોકુળ ગાયની ગતિએ કામ થઈ રહ્યું છે. વેરા ઉઘરાવવામાં પોતાને શૂરવીર સમજતી જાફરાબાદ નગરપાલિકા નાગરિકોને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. નગરપાલિકા ની સ્વચ્છતા હી સેવા અભિયાન ની કામગીરી ફક્ત ને ફક્ત ફોટા પાડી ઉચ્ચ કક્ષાએ વાહવાહી કરતી નગરપાલિકા સ્વચ્છ અભિયાન ના ધજાગરા ઉડી રહ્યા હોય છે. તે સાબિત કરી દીધી છે.

Tags :
gujaratgujarat news jafrabadjafrabadJafrabad NEWS
Advertisement
Next Article
Advertisement