ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સ્વામીએ પાછલા બારણેથી મંદિરમાં પ્રવેશી જલારામ બાપાની માફી માગી

11:14 AM Mar 08, 2025 IST | Bhumika
Advertisement

ખુદ પોલીસ નંબર પ્લેટ વગર સ્કોર્પિયોમાં સ્વામીને વીરપુર લઈ આવતા ઉઠતા અનેક સવાલો

Advertisement

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક કરનાર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય સંત શ્રી જલારામબાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમને લઈને સમગ્ર ગુજરાત સહીત ઠેરઠેર રઘુવંશી સમાજમાં તેમજ પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ વીરપુરમાં પણ રોષ હતો, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી એ જલારામબાપા મુદ્દે ટિપ્પણી કરવા હાલ વિવાદ માં આવ્યા છે,સાથે સ્વામીએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જલારામબાપા ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે,સાથે જલારામબાપા એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આશિર્વાદ માગ્યા હોવાનો દાવો કર્યો હતો,તેમજ જલારામબાપા એ સ્વામી ગુણાતીતાનંદ પાસે સદાવ્રત કાયમી ના માટે ચાલે તેવા આશિર્વાદ આપ્યા હોવાનું કહ્યું હતું,અને કાયમીના માટે ભંડાર ભરેલ રહેશે તેવા આશીર્વાદ ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યા હોવાનું નિવેદન જ્ઞાન પ્રકાશ સ્વામીએ કર્યું હતું,સાથે જલારામબાપા એ સ્વામી ગુણાતીતાનંદ જ્યારે વીરપુર આવ્યા ત્યારે દાળ અને બાટી જમાડ્યા હતા,અને જલારામ બાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા ને સેવા કરી હોવાનું નિવેદન કરતા હાલ આ નિવેદન થી પૂજ્ય જલારામ બાપાના લાખો ભક્તો સાથે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ સાથે રોષ ફેલાયો હતો,સ્વામીએ આપેલ નિવેદન મુદ્દે પૂજ્ય જલારામબાપાના વંશજ અને પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિના લઘુબંધુ અને પૂજ્ય જલારામ બાપાના પરિવારજન પૂજ્ય ભરતભાઇ ચાંદ્રાણીએ આજથી બસો પાંચ વર્ષ પહેલાં પૂજ્ય જલારામબાપા એ અમરેલી જિલ્લાના ફતેપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી મહાસુદ બીજના દિવસે અન્નક્ષેત્રની શરૂૂઆત કરી હતી તેમજ પૂજ્ય જલારામ બાપાના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામ હતા અને પૂજ્ય બાપા અવિરત પ્રભુ શ્રીરામ નામનું રટણ કરતા આ વાત પૂજ્ય જલારામબાપા ને માનનારા લાખો ભક્તો સત્ય જાણે છે,જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ અને પૂજ્ય જલારામ બાપાના પરિવારનું કોઈ સમર્થન નથી તેમ નિવેદનમાં જણાવ્યુ હતુ. સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા કરેલ ટિપ્પણીને લઈને યાત્રાધામ વિરપૂરના ગ્રામજનો, રઘુવંશી સમાજ, આક્રોશ સાથે ભક્તોએ આ ટિપ્પણી ને વખોડી કાઢી હતી,તેમજ જલારામબાપા ઇતિહાસ વિષે આવી ટિપ્પણી ન કરવી જોઈએ સાથે સ્વામી પાસે કોઈ આવું સાહિત્ય હોય તો વીરપુર લઈને આવે,સાથે જલારામબાપા ઇતિહાસ માં ચેડાં ન કરવા ની માંગ સાથે સદાવ્રત ભોજલારામ બાપાના આશીર્વાદ ચાલે છે, આ વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગતો વિડિઓ સોશ્યલ મીડિયામાં જાહેર કરીને માફી માંગી હતી,વિડિઓમાં સ્વામીએ કહ્યું હતું કે,જલારામબાપા ચરણો માં સત સત વંદન,થોડા સમય પહેલા મેં એક બુકમાં પ્રશંગ વાંચ્યો હતો,એજ પ્રશંગ મેં એક મેગેજીન માં પણ વાંચ્યો હતો,મને એવું લાગ્યું કે આમાં જલારામબાપા ખૂબ સારી વાત કરવામાં આવી છે,એટલે બાપાના મહિમા વિશે વાત રજૂ કરી હતી,સાથે અયોધ્યામાં જલારામબાપા ની જગ્યા તરફ ધરવામાં આવતા થાળ અંતર્ગત વાત કરી હતી, ત્યારે કોઈપણ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાણી હોય તો માફી માગું છું અને વિડિઓ પણ ડીલીટ કરી દીધો હોવાનું જણાવ્યું હતું.

પરંતુ સ્વામી જ્ઞાન પ્રકાશના વિરોધમાં વીરપુર ગ્રામપંચાયત કચેરી ખાતે યાત્રાધામ વીરપુરના ગ્રામજનો તેમજ તમામ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ,સંસ્થાઓ,સાથે એક બેઠક પણ મળી હતી જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને જલારામબાપાની માફી માંગે તેવી માંગ સમગ્ર ગુજરાતભર માંથી તેમજ વીરપુરના ગ્રામજનો,લાખો ભક્તો અને રઘુવંશી સમાજે ઉગ્ર માંગ કરી હતી.ત્યારે આજે બપોરના 4:30 વાગ્યાની આસપાસ સ્વામી જ્ઞાન પ્રકાશ જલારામબાપાના મંદિરે આવી માફી માંગી, સ્વામીને પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે વીરપુર લવાયા હતા અને બ્લેક કલર આખી સ્કોપીયો ગાડીમા સ્વામીને મંદિરની પાછળના દરવાજા માંથી સીધા મંદિરમાં લઈ જવાયા હતા જ્યાં વીરપુર મંદિરના ગાદીપતિ રઘુબાપાના લઘુબંધુ અને જલારામ બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદ્રાણીએ સાથે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યામાં શીશ જુકાવીને માફી માંગી હતી અને વડતાલ ટેમ્પલ મંદિર બોર્ડ દ્વારા લેટરપેડમાં લેખિત પૂજ્ય જલારામ બાપાના મંદિરની માફી પણ માંગી હતી, પરંતુ જ્ઞાન પ્રકાશ સ્વામી માત્ર દસ મિનિટ જેટલો સમયજ વીરપુર જલારામ મંદિરમાં રોકાયા અને મંદિરના પાછળ દરવાજે થી જ્ઞાન પ્રકાશ સ્વામીને પોલીસના ચૂસ્ત બંધોબસ્ત વચ્ચે નંબર પ્લેટ વગરની અને આખી બ્લેક સ્કોર્પિયો કારમા વીરપુર થી નીકળી લઈ જવામાં આવ્યા જ્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી જ્યારે જલારામ મંદીરની બહાર આવ્યા ત્યારે મીડિયા થી ભાગી કંઈપણ બોલ્યાં વગર જ ચાલતી પકડી હતી.

સંતો માટે કાયદો પણ અલગ ? ગુજરાત પોલીસ જવાબ આપો

ગુજરાતમાં વીરપુર (જલારામ)ના વિવાદ વચ્ચે સ્વામી જ્ઞાનપ્રકાશને પોતાની ભૂલનું જ્ઞાન થયું હતું જેથી તેણે માફી માંગવા માટે આજે જલારામ મંદિર વીરપુર ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે જલારામદામ કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી જેને લીધે સમગ્ર વિવાદની શરૂૂઆત થઇ હતી. પરંતુ અહીં એક મોટો પ્રશ્ન એ છે કે તેઓ જે ગાડીમાં આવ્યા હતા, તે સંપૂર્ણપણે ટ્રાફિક નિયમો વિરુદ્ધ હતી. ગાડીના કાચ ગેરકાયદેસર કાળા હતા અને નંબર પ્લેટ પણ નહોતી, જે સીધો-સીધો કાયદાનો ભંગ છે.ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટ્રાફિક નિયમોને ખૂબ કડક બનાવવામાં આવ્યા છે. આરટીઓ (છઝઘ) અને પોલીસ સતત ટ્રાફિક નિયમોના કડક અમલ માટે કામ કરી રહી છે. જો સામાન્ય નાગરિકના વાહનમાં ગેરકાયદેસર કાળા કાચ હોય અથવા નંબર પ્લેટ ન હોય, તો તરતજ દંડ થાય છે. પરંતુ, અહીં સંતો માટે કાયદો એકદમ અલગ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી! સ્વામી જ્ઞાનપ્રકાશ જે વાહનથી આવ્યા હતા, તેમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.ગુજરાત સરકાર અને પોલીસ આવા કિસ્સાઓમાં શું કરી રહી છે? જો સંતો અને ધર્મગુરુઓને આ પ્રકારના નિયમભંગ માટે મુક્તિ મળે, તો શું ભારતના બંધારણમાં ઘડાયેલો કાયદો ફક્ત સામાન્ય નાગરિક માટે જ છે કે કેમ? તે અંગે સવાલો ઉઠવા પામી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsGyanprakash SwamiVirpurVirpur news
Advertisement
Next Article
Advertisement