For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપ્રીમનું કોલેજિયમ હાઇકોર્ટ એડવોકેટ એસો.સામે ના ઝૂકયું, જસ્ટિસ સંદિપ ભટ્ટ અને સીએમ રોયની અંતે બદલી કરાઇ

12:40 PM Oct 15, 2025 IST | Bhumika
સુપ્રીમનું કોલેજિયમ હાઇકોર્ટ એડવોકેટ એસો સામે ના ઝૂકયું  જસ્ટિસ સંદિપ ભટ્ટ અને સીએમ રોયની અંતે બદલી કરાઇ

એસોસિએશનનો તિવ્ર વિરોધ-હડતાળ અને રજૂઆત એળે ગઇ, કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી દીધી

Advertisement

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHAA)ના તીવ્ર વિરોધ અને લેખિત રજૂઆતોની અવગણના કરીને બદલીની ભલામણ કરી છે. આખરે ભારત સરકારે આ ભલામણને મંજૂરી આપી દીધી છે, જેના કારણે જસ્ટિસ ભટ્ટની બદલી અમલમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ, સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને સી. એમ. રોયની આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફરનો આદેશ જારી કર્યો છે. જસ્ટીસ સી.એમ.રોયને તેમની પેરેન્ટ હાઈકોર્ટ એટલે કે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પાછા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યાંથી તેમની નવેમ્બર 2023માં ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 25 અને 26 ઓગસ્ટ 2025ની બેઠકોમાં 14 હાઇકોર્ટ જજોની બદલીની ભલામણ કરી હતી, જેમાં ગુજરાત હાઇકોર્ટમાંથી જસ્ટિસ સંદીપ ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ સી.એમ. રોયને આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં બદલવાનો પ્રસ્તાવ હતો. GHAA એ આ નિર્ણય વિરુદ્ધ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવાઈને લેખિત રજૂઆત કરી હતી. એસોસિએશને કહ્યું કે, જસ્ટિસ ભટ્ટ 2021માં જજ તરીકે નિમણૂક થયા પછી માત્ર ચાર વર્ષમાં 19,000થી વધુ કેસોનું નિરાકરણ કર્યું છે. GHAA એ આ બદલીને સ્ટીગ્મેટિક (અપમાનજનક) ગણાવીને કહ્યું કે, આવી બદલીઓ જજોની પ્રતિષ્ઠા અને ન્યાયિક વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે.

Advertisement

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનએ (GHCAA) ઓગસ્ટ મહિનામાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટના પ્રસ્તાવિત ટ્રાન્સફરનો વિરોધ કરતા કોર્ટ કાર્યવાહીનો અનિશ્ચિત સમય માટે બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. 500થી વધુ વકીલોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ન્યાયતંત્રમાં પારદર્શિતા વધારવાના પ્રયાસો માટે જાણીતા જસ્ટીસ ભટ્ટે કોર્ટ રજિસ્ટ્રીમાં સીસીટીવી કેમેરા લગાવવાનો અને રજિસ્ટ્રી કામગીરીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

ભટ્ટની બદલીના વિરોધમાં GHAAએ 26 ઓગસ્ટથી અનિશ્ચિત સમયની હડતાળ જાહેર કરી હતી. વકીલોએ કહ્યું કે, જસ્ટિસ ભટ્ટની અખંડિતતા અને નિષ્પક્ષ ચુકાદાઓ તેમના માટે પ્રેરણારૂૂપ છે. પારદર્શક કારણ વિના જજો અને વકિલોના મનોબળને નુકસાન પહોંચાડે છે. કોલેજિયમના આ નિર્ણય પછી GHAAએ CJIને ફરીથી અપીલ કરી હતી કે બદલી પર પુનર્વિચાર કરવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે GHAAના વિરોધ સામે ઝૂક્યું નહીં અને ભારત સરકારે ભલામણને મંજૂરી આપી દીધી છે. આ બદલીથી ન્યાયિક વ્યવસ્થામાં પારદર્શિતા અને જજોની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement