ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કેશોદમાં રખડતા ઢોરનો ત્રાસ, પશુઓને પકડવાની કામગીરી જીરો

11:27 AM Nov 27, 2025 IST | Bhumika
Advertisement

યુવાનનો ભોગ લેવાતા લોકોમાં રોષ

Advertisement

કેશોદમાં રખડતા પશુઓ (ઢોર) તથા કુતરાઓના ત્રાસ દિવસે ને દિવસે વધી રહીયો છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાયેવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે કેશોદ ના જુના ગામની બજારમાં ગયકાલે બે ખૂટ્યાઓની લડાઈમાં એક નિર્દોષ ભોગ લેવાયો હોવાનું જાણવા મળ્યું છે જૂના ગામમાં રહેતા સોયબ ગફાર મહિડા નામના યુવાનનું આ ધટનામાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ યુવાન પોતાનો બાઈક લઈ જતો હતો ત્યારે આ ઘટના બની હતી.તો બીજી તરફ જવાબદાર તંત્રના લોકો દ્વારા પશુઓને પકડવાની કોઈ કામગીરી ન થતી હોવાના કારણે એક નિર્દોષ વ્યક્તિ નો જીવ ગયો હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ આ અગાઉ પણ ત્રણ થી ચાર કિસ્સામાં ખુટીયા ની લડાઈ વખતે રાહદારી લોકોના મૃત્યુ થયા હોવાના બનાવો બન્યા છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ વહેલી તકે દુર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Tags :
gujaratgujarat newskeshodKeshod news
Advertisement
Next Article
Advertisement