ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નાયબ મામલતદારની 5502 જગ્યા ભરવા રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયાને મંજૂરી

04:16 PM Sep 24, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત રાજ્યમાં હવે નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા પર નિમણૂક કરતા પહેલા મહેસૂલ વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ મહેસૂલ વિભાગના પરામર્શ વગર કોઈપણ કચેરી કે વિભાગમાં આ જગ્યાઓ ભરી શકાશે નહીં.

Advertisement

મહેસુલ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્ર અનુસાર, રાજ્યમાં કલેક્ટર કચેરીઓ અને અન્ય વિભાગોમાં કુલ 5502 નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. તેમાંથી, તમામ કલેક્ટર કચેરીઓમાં 5186 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, 173 જગ્યાઓ પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) દ્વારા ભરવામાં આવશે, જ્યારે 27 જગ્યાઓ કલેક્ટર કચેરીઓ દ્વારા સીધી ભરવાની રહેશે.

વધુમાં, 116 નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યાઓ ડેપ્યુટેશન રિઝર્વ તરીકે રાખવામાં આવશે.મહેસૂલ વિભાગના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નાયબ મામલતદારની નિમણૂક પ્રક્રિયામાં સુસંગતતા અને પારદર્શિતા જાળવવાનો છે. જોકે, આ પરિપત્રમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અસાધારણ સંજોગો અથવા તાકીદની સ્થિતિમાં જો નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા તાત્કાલિક ભરવી પડે તો પણ મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો અનિવાર્ય છે.

કોઈપણ વિભાગ કે કચેરીમાં નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા ભરવામાં આવે કે રદ કરવામાં આવે, તેની માહિતી પણ મહેસૂલ વિભાગને આપવી ફરજિયાત છે. આ પરિપત્ર દ્વારા મહેસૂલ વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લામાં મંજૂર થયેલી નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યાઓની વિગતવાર જાણકારી આપી છે. આ પગલાથી મહેસૂલી પ્રશાસનમાં કર્મચારીઓની નિમણૂક અને વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Tags :
Deputy Mamlatdargujaratgujarat newsState government
Advertisement
Next Article
Advertisement