રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોટીલામાં તસ્કરોનો તરખાટ: આણંદપુર રોડની આઠ દુકાનોનાં શટર તૂટ્યા

12:05 PM Feb 22, 2024 IST | Bhumika
Advertisement

ચોટીલા જસદણનાં મુખ્ય આણંદપુર રોડ ઉપર એક સાથે આઠ દુકાનોનાં તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવતા વેપારીઓમાં ફફડાટ સાથે પોલીસ પેટ્રોલીંગ અંગે રોષ ફેલાયો છે છાસવારે બનતા ચોરીના બનાવો ને કારણે લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાનાં સતત વાહાનોની અવર જવર થી ધમધમતા આણંદપુર રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં તેમજ આસપાસની મળી આઠ જેટલી દુકાનોઆનં શટરનાં તાળા તોડી તરખાટ મચાવતા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

વહેલી સવારે ધંધાર્થીઓ દુકાન ખોલવા આવ્યા ત્યારે શટર ઉચા જોતા ચોરી થયાની જાણ થતા પોલીસને ચોરી અંગે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસ અર્થે દોડી ગયેલ હતો ગેરેજ, ટ્રેકટર શોરૂૂમ, મિસ્ત્રીકામ,મોટર રીવાઇડીંગ, કટલેરી, કરીયાણા પરચુરણ ચીજવસ્તુઓની દુકાનો હોવાથી કોઇ મોટી રકમનો દલ્લો ગયેલ ન હોવાનું અને સામાન્ય પરચુરણ રકમની ચોરી થયેલ હોવાથી વેપારીઓએ ફરિયાદ નોંધાવ્યાનું ટાળ્યું હોવાનું જાણવા મળે છે પરંતું એક સાથે આઠ દુકાનો તૂટતા લોકોમાં તસ્કરોની રંઝાડનો ફફડાટ જોવા મળે છે.

તસ્કરોનાં તરખાટ પાછળ નબળા પેટ્રોલીંગનો લાભ ચોર ટોળકીએ ઉઠાવ્યો હોવાનું અને એક કરતા વધુ લોકોએ આ ઘટનાને અંજામ આપેલ હોવાનું કહેવાય છે ત્યારે પોલીસે આસપાસ આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી ચોર ટોળીની ઓળખ મેળવવા તેમજ તસ્કરી અંગે વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.સતત વાહાનોની અવર જવરથી ધમધમતા આ રોડ ઉપર અવાર નવાર ચોરીના બનાવને કારણે લોકોએ આ રોડ ઉપર સઘન રાત્રી પેટ્રોલીંગની માંગ કરેલ છે.

Tags :
Chotilachotila newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement