ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોડીનારનો શિંગોડા ડેમ 90 ટકા ભરાયો, ત્રણ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયુ

01:01 PM Aug 21, 2025 IST | Bhumika
Advertisement

ગીર પંથકમાં પડેલા અવિરત વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા ખાતે શીંગવડા નદી પર આવેલા આ ડેમ ના ત્રણ દરવાજા 0.30 મીટર (1 ફૂટ) ખોલવામાં આવ્યા છે, જેના કારણે પ્રતિ સેક્ધડ 3368 ક્યુસેક પાણીનો પ્રવાહ શીંગવડા નદીમાં વહી રહ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કોડીનાર શહેર સહિત નદી કાંઠાના 22 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને લોકોને નદી કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. જુલાઈ માસનું રૂૂલ લેવલ જાળવવા પાણી છોડાયું.

Advertisement

ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શિંગોડા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ઓગસ્ટ માસનું રૂૂલ લેવલ જાળવવા માટે ડેમ ના ત્રણ દરવાજા ખોલીને જેટલી પાણીની આવક છે તેટલી જ જાવક રાખવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ગણાતો આ ડેમ ગીર જંગલ મધ્યે આવેલો છે અને તેમાં 150 જેટલા ઝરણાં અને વોકળાનું પાણી આવે છે, ઉપરાંત શીંગવડા નદીનું વિપુલ માત્રામાં પાણી પણ મળે છે. સીઝનના પ્રથમ વરસાદથી જ ડેમમાં આખા વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયું છે, જેનાથી કોડીનાર શહેર અને તાલુકાના 19 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને 12 ગામોને સિંચાઈ માટે પાણી મળે છે. ડેમ ની કુલ સપાટી 18.80 મીટર (61.68 ફુટ) છે જે પૈકી 18.15 મીટર ( 58 ફૂટ) ભરતા ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

જોકે, બીજી તરફ સતત પાણીની આવક અને આજે ડેમ વિસ્વતારમાં વધુ 4 ઇંચ વરસાદ પડતા ડેમ નો 1 ખુલ્લો હતો જે વધારી આજે 3 દરવાજા 1 - 1 ફૂટ ખોલતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. સિંચાઈ વિભાગે જણાવ્યું છે કે ગીરમાં વરસાદની સ્થિતિ જોતા હજુ કેટલો સમય દરવાજા ખુલ્લા રાખવા પડશે તે કહી શકાય તેમ નથી.શિંગોડા ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને સિંચાઈ વિભાગનો સ્ટાફ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદથી ગીરનો સમગ્ર પંથક હરિયાળો બન્યો છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આનંદનો વિષય છે.

Tags :
gujaratgujarat newsKodinarKodinar newsShingoda Dam
Advertisement
Next Article
Advertisement