દુષ્કર્મીઓને કડક સજાની માંગ સાથે સેવા દળના ધરણાં-વિરોધ
05:32 PM Oct 14, 2024 IST
|
admin
Advertisement
રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં જ દુષ્કર્મની સાત જેટલી ઘટનાઓ બની છે. જેના વિરોધમાં સેવાદળ દ્વારા આજે જ્યુબિલી ગાર્ડન પાસે આવેલી મહાત્માગાંધીજીની પ્રતિમા પાસે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી ધરણાં કરવામાં આવ્યા હતાં. અને આરોપીઓને કડક સજાની માંગણી કરી હતી. આ ધરણાં કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને પ્રદેશ અધ્યક્ષ પ્રગતિબેન આહીર સહિત મહામંત્રી ગીરીશ પટેલ, રાહુલ સોલંકી, જિજ્ઞેશ બોરડ, મનીષાબા વાળા જોડાયા હતાં.
Advertisement
Next Article
Advertisement