રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સંવેદનશીલ તંત્ર! ખેડૂતો એક રૂપિયો પણ મૂકે નહીં, એક રૂપરડીની વસૂલાત માટે પાંચના ચાંદલાવાળી નોટિસ

03:39 PM Dec 09, 2023 IST | Bhumika
Advertisement

PGVCLએ સાત વર્ષ પહેલાં રદ કનેકશનના બાકી 1 રૂા.ની વસૂલાત માટે કોર્ટ દ્વારા નોટિસ મોકલી

Advertisement

અમરેલીના કુંકાવાવમાંથી એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 1 રૂૂપિયાની ભરપાઈ કરવા માટે ખેડૂતને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કુંકાવાવના ખેડૂતોનો માત્ર એક રૂૂપિયો બાકી હોવાથી PGVCL દ્વારા 1 રૂૂપિયો વસૂલવા માટે કોર્ટ થકી નોટિસ મોકલવામાં આવી છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો વસૂલવા માટે 5 રૂૂપિયાની ટિકિટ લગાવીને ખેડૂતને ટપાલ મોકલવામાં આવી હતી.

અમરેલીના કુંકાવાવમાં રહેતા અને ખેતીકામ કરતા હરેશ સોરઠિયા નામના ખેડૂતને કોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 7 વર્ષ પહેલાં ખેતરમાંથી કનેક્શન રદ કરવામાં આવ્યું હતું. જો કે, હરેશભાઈને માત્ર 1 રૂૂપિયો બાકી રહેતા હવે તેની વસૂલાત માટે PGVCL દ્વારા કોર્ટની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ મોકલવા માટે PGVCL દ્વારા 5 રૂૂપિયાની ટિકિટ લગાવીને ટપાલ મોકલવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હકની વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ નિર્દયી PGVCL માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટમાં લઈ ગયું છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી તેમના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્ત્વપૂર્ણ યોજનાઓ લાગૂ કરવામાં આવે છે. પરંતુ, બીજી તરફ અમરેલીના એક ખેડૂતને માત્ર એક રૂૂપિયો બાકી રહેતા નિર્દયી PGVCL દ્વારા 1 રૂૂપિયાની વસૂલાત માટે કોર્ટની નોટિસ મોકલી છે. જો કે, આ નોટિસ મોકલવા માટે PGVCL દ્વારા રૂૂ. 5ની ટિકિટ લગાવીને ટપાલ મોકલવામાં આવી છે.

Tags :
amreliamreli newsgujaratgujarat newsPGVCL
Advertisement
Next Article
Advertisement