સોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ એલર્ટ, વધારાની પોલીસ ખડકાઇ, ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત
દરિયામાં ફરતા જહાજોમાં તપાસ, બોમ્બ ડિસ્પોઝલ ટીમો સ્ટેન્ડબાય, વાહનોનું સઘન ચેકિંગ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ શહેરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્થાનિક પોલીસને પસતર્કથ રાખવામાં આવી છે, એમ સરકારી અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠા ઉપરાંત, રાજ્યના સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર અને અંબાજી મંદિર જેવા મુખ્ય ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.
રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે ગુજરાત પાકિસ્તાન સાથે નજીક હોવાથી દરિયાકાંઠે પોલીસને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.પશ્ચિમી રાજ્ય પડોશી દેશ સાથે દરિયાઈ અને જમીન સરહદો વહેંચે છે. રાજકોટ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લાઓમાંથી ત્રણ જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા પાસે દરિયાકિનારો છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, દરિયાકાંઠે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તે પ્રદેશમાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દરિયાકાંઠે પેટ્રોલિંગ શરૂૂ કરી દીધું છે અને આ જિલ્લાઓમાં ટ્રાન્ઝિટ પોઈન્ટ પર વાહનોની તપાસ પણ શરૂૂ કરી દીધી છે
ગુરુવારે મળેલી બેઠક દરમિયાન, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, એમ તેમણે માહિતી આપી હતી.વધુમાં, પોલીસ નિર્જન ટાપુઓ તેમજ દરિયાકાંઠે ઉતરાણ સ્થળો પર કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે, IPS અધિકારીએ જણાવ્યું.
સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પહેલગામ હત્યાકાંડની પૃષ્ઠભૂમિમાં, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નજીક દરિયા કિનારે આવેલા પ્રખ્યાત સોમનાથ મંદિરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.મંદિરમાં અને તેની આસપાસ તલાશી, રાત્રિ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. મંદિરમાં વધારાની ક્વિક રિસ્પોન્સ ટીમ (ચછઝ) તૈનાત કરવામાં આવી છે. પેટ્રોલિંગ માટે અને તે વિસ્તારમાં ફરતા જહાજોની ઓચિંતી તપાસ કરવા માટે દરિયામાં પોલીસ બોટ તૈનાત કરવામાં આવી છે.
જાડેજાએ જણાવ્યું હતું કે, એક સમર્પિત સોફ્ટવેરનો ઉપયોગ કરીને, પોલીસ જિલ્લાની વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં આવનારા મુલાકાતીઓ પર નજર રાખી રહી છે, અને ઉમેર્યું હતું કે એક ટીમ સોશિયલ મીડિયા પરની સામગ્રી પર પણ નજર રાખી રહી છે.હાલમાં, સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ, માઉન્ટેડ પોલીસ અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (ઇઉઉજ) ની મદદથી, સોમનાથ મંદિરની સુરક્ષા કરી રહ્યા છે. પોલીસ દ્વારા પાર્કિંગ પ્લોટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ અને હોટલની પણ ઓચિંતી તપાસ કરવામાં આવી રહી છે, જાડેજાએ જણાવ્યું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ કર્મચારીઓની મદદથી બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત અંબાજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.