સંઘ વડા મોહન ભાગવત 17મીથી બે દિવસ ગુજરાતમાં
03:39 PM Oct 14, 2024 IST | admin
જૈન આચાર્ય મહારામાનુજજીને મળશે
Advertisement
ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેની વિસ્તરણની યોજનાને આગળ ધપાવી છે અને આજથી આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંશબોલે ત્રણ દિવસમાં જામનગરના પ્રવાસે છે અને તેઓ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક લઇ રહ્યા છે.
તે સમયે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત તા.18થી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ તા.17ના સાંજે સુરત પહોંચશે અને બે દિવસ રોકાશે. તેઓ અહીં જૈન આચાર્ય મહારામાનુજજીને મળશે અને પર્યાવરણ અંગેના એક પરિસંવાદમાં પણ હાજરી આપશે આ ઉપરાંત સંઘની શ્રેણીબધ્ધ બેઠકો યોજાઇ રહી છે જેમાં તેઓ ભાગ લેશે.
Advertisement
Advertisement