For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલ 37 યાત્રીઓનો 3 લાખનો સામાન પરત કરતું RPF

05:23 PM Nov 05, 2025 IST | admin
ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલ 37 યાત્રીઓનો 3 લાખનો સામાન પરત કરતું rpf

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા અને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. ઓક્ટોબર 2025 (01.10.2025 થી 31.10.2025) માસ દરમિયાન, આરપીએફ કર્મીઓએ યાત્રીઓ દ્વારા સ્ટેશનો પર અથવા ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલા 37 યાત્રીઓના આશરે ₹3,09,914 મૂલ્યના સામાનને સુરક્ષિત રીતે તેમના સુપરત કર્યો. જ્યારે, ઓપરેશન રેલ સુરક્ષા હેઠળ રેલવે સંપત્તિની ચોરીના 6 કિસ્સાઓમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ આવશ્યક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી.

Advertisement

આ ઉપરાંત, ઓપરેશન નન્હે ફરિશ્તે અંતર્ગત ઘરેથી ભાગી ગયેલી એક 16 વર્ષીય બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવી, જે આરપીએફની માનવીય સંવેદનશીલતા અને તત્પરતાનું પ્રતીક છે.ઓપરેશન સતર્ક દરમિયાન ગેરકાયદેસર દારૂૂની તસ્કરીના એક કેસમાં એક વ્યક્તિને પકડીને આગળની કાર્યવાહી માટે સરકારી રેલવે પોલીસ (જીઆરપી) ને સોંપવામાં આવ્યો. ઓપરેશન સમય પાલન હેઠળ ટ્રેનોમાં ચેઈન પુલિંગ કરીને સંચાલનમાં અવરોધ ઊભો કરનારાઓ વિરુદ્ધ 35 કેસોમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement