ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભગવતીપરામાં રિક્ષા અને બાઈક સામસામે આવી જતાં મારામારી : ચાર ઘવાયા

04:36 PM Mar 08, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરના ભગવતીપરામાં રીક્ષા એન બાઈક સામસામે આવી જતાં ડખ્ખો થતાં સામસામે મારામારી થઈ હતી વાહન સરખુ ચલાવવાનું કહેતા ઝઘડો થતાં છરી-ધોકા વડે સામ સામે તુટી પડતા ચાર લોકો ઘવાયા હતાં.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં નદીકાંઠે મીયાણાવાસમાં રહેતા એન ફ્રુટનો ધંધો કરતા અનિલ ગભરૂભાઈ ભોજૈયા (ઉવ.31)એ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અનિલ ઉર્ફે લાલો ધનજીભાી જીજરિયા, મનોજ ધનજીભાઈ જીંજરિયા, ધનજીભાઈ કરશનભાઈ જીંજરિયા, અને અનિલની પત્નીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે જ્યુબેલીથી ભાડાની રીક્ષા કરી ઘરે જતો હતો ત્યારે ભગવતીપરામાં પહોંચતા પાડોશમાં રહેતો અનિલ જીંજરિયા વણાંકમાં સામે આવી જતાં બંનેએ વાહન રોકી દેતા ભટકાયા ન હતાં જેથી વાહન સરખુ ચલાવવાનું કહેતા આરોપીએ ઝઘડો કરી ઘરે જઈ અન્ય આરોપીઓ સાથે આવી છરી, ધોકા, બેટ વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી અનિલભાઈ તેનો ભાઈ સાગર (ઉ.વ.31), તેના બહેન હીનાબેન અને માતા ઉષાબેન ગભરૂભાઈને ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતાં. આ અંગે પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી.

જ્યારે સામાપક્ષે અનિલ ઉર્ફે લાખો ધનજીભાઈ જીંજરિયા (ઉવ.37)એ નોંધાવેલી વળતી ફરિયાદમાં આરોપી તરીકે સાગર ગભરૂભાઈ ભોજૈયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ કાલે તે બાઈક લઈ જતો હતો ત્યારે વણાંકમાં આરોપીની રીક્ષા સામે આવી જતાં ઝઘડો થતાં આરોપીઓએ લાકડાના ધોકા વડે હુમલો કરી આરોપી હીનાબેન છુટા પથ્થરના ઘા કરી માર માર્યો હતો આ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement