ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામ

12:35 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

વારંવાર પાલિકા અને સ્થાનિક કાઉન્સિલની રજૂઆત છતાં પરિણામ શૂન્ય

Advertisement

પ્રભાસપાટણ વોર્ડ નંબર બે મા આવેલ રેલ્વે સ્ટેશન ની બાજુમાં મેમુના મસ્જીદ ની બાજુમાં નગરપાલિકા ની ગટર પસાર થાય છે અને આ ગટર ની ચેમ્બર આ વિસ્તારમાં આવેલ છે આ ગટર ની ચેમ્બર વારંવાર છલકાવાને કારણે ગટર નુ દુર્ગંધયુક્ત પણ સોસાયટી વિસ્તારમાં ફરી વળે છે જેથી આજુબાજુ ના લોકો ને રહેવુ મુશ્કેલ બનેલ છે આ બાબતે કાસીમ અલી ગોહિલ અને આ વિસતાર ના લોકો દ્વારા નગરપાલિકા અને ડે કલેકટર ને રજૂઆત કરવામાં આવેલ છતા કોઈ જાતનું પરીણામ આવેલ નથી અને આ લોકો ખુબજ પરેશાન થાય છે રસ્તા ઉપર અને ધરો ની આજુબાજુ દુર્ગંધયુક્ત પાણી ફરી વળવાથી મચ્છરો નો ઉપદ્રવ વધી રહેલ છે જેથી બિમારી નુ પ્રમાણ પણ વધુ છે તેમજ રોડ ઉપર આ ગંદું પાણી આવતું હોવાથી બાળકો પણ આ પાણી માંથી પસાર થાય છે આ વિસ્તારમાં 50 થી વધુ ધરો આવેલ છે અને આ યાતના નો તમામ લોકો ભોગ બની રહ્યા છે તો નગરપાલિકા અને સ્થાનિક કાઉન્સિલ દ્વારા આ પ્રશ્ન નો ઉકેલ આવે તેવી માગણી કરવામાં આવેલ છે.

ગટર નુ દુર્ગંધયુક્ત પાણી નીકળવાને કારણે રસ્તા પણ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે અને રસ્તા ના ખાડા ઓમા આ ગટર નુ દુર્ગંધયુક્ત પાણી ભરાય જાય છે જેથી વાહન ચાલકો ને પઢ અગવડતા પડે છે.

Tags :
gujaratgujarat newsprabhas patanPrabhas patan news
Advertisement
Next Article
Advertisement