ઉપલેટા એનિમલ હોસ્ટેલ પાસેથી ફરી એક દીપડો પાંજરે પૂરાતા લોકોમાં રાહત
ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડો ખેડૂતો અને પશુપાલકોના પશુઓનું મારણ કરતો હોવાને લીધે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી જેને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પાંજરું મુકવામાં આવ્યું હતું.ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ વસવાટ કરતા હોય ત્યારે ખેડૂતોના અને પશુપાલકોના પશુઓ મારણ કરવાને લીધે ખેડૂતોમાં અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે બે દિવસ પહેલા ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ એનિમલ હોસ્ટેલમાં પણ 900 જેટલા નાના મોટા ગાય, વાછરડા અને ખૂંટ રાખવામાં આવ્યા છે ત્યારે દીપડો દિવાલ કૂદીને મારણ કરતો હોય ત્યારે એક દીપડો પકડાયો હતો પરંતુ એનિમલ હોસ્ટેલની બાજુમાં પાટણવાવ રોડના પુલ નીચે વસવાટ કરતા પશુપાલકોના પશુઓનું પણ મારણ દીપડો અવારનવાર કરતો હોય છે ત્યારે બે દિવસ પહેલા ભીમાભાઈ લાખાભાઈ ભારાઈ નામના રબારી પશુપાલકના પશુનું મારણ કરેલ હોય જેને લઈને ઉપલેટા ફોરેસ્ટ વિભાગને આ બનાવ અંગે જાણ કરાતા ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પાંજરૂૂ મૂકવામાં આવ્યું હતું જેમાં ગતરોજ આ દીપડો પાંજરામાં મૂકેલ મારણ ખાવાં જતાં પકડાઈ ગયો હોય જેને લઈને પશુપાલકો અને ખેડૂતોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. આ દિપડો માનવ ભક્ષી બને એ પહેલા તેને પકડવા માટે ફોરેસ્ટ વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રભાઈ ચંદ્રવાડીયા, અન્ય કર્મચારીઓ દાહાભાઈ કટારા, નારણભાઈ પરમાર, રમેશભાઈ વાઘેલા અને પ્રવીણભાઈ બથવાર સહિતનાઓએ દીપડાને પકડવા માટે જહેમત ઉઠાવી હતી.