ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

E-KYC નહીં કરાવનારના રાશન બંધ, કાર્ડ રદ કરાયા

11:16 AM May 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સરકારના આકરા વલણથી રેશનકાર્ડ ધારકોમાં દેકારો: E-KYC કરાવવા દોડધામ, કચેરીઓમાં લાંબી કતારો

Advertisement

રાજ્યના પુરવઠા ખાતાએ ઈ-કેવાયસી મુદ્દે ભારે કડક વલણ અપનાવ્યું છે. ગઈકાલે સાંજ પછી ઓનલાઈન એકાએક લેવાયેલા નિર્ણય અનુસાર, જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (ગજઋઅ) કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી તારીખ 13મી સુધીમાં સંપૂર્ણ થયું છે, તેઓને જ પુરવઠો આપવામાં આવશે. આ સાથે જ, જે કાર્ડ હોલ્ડરોના ઈ-કેવાયસીની કામગીરી બાકી છે, તેઓને આજથી જ અનાજ, મીઠું સહિતનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, આવા બાકી રહેલા તમામ NSFAટેમ્પરરી કાર્ડ પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે અને આ કાર્ડ હોલ્ડરોના કાર્ડ આજથી ઓનલાઈન કોઈ પ્રક્રિયામાં દેખાશે નહીં.

પુરવઠા વિભાગે NSFAકાર્ડ હોલ્ડરોના કાર્ડમાં જેટલા સભ્યોના નામ નોંધાયેલા છે, તેમાંથી જો બે-ત્રણ સભ્યોનું ઈ-કેવાયસી બાકી હશે તો પણ રાશન નહીં મળે. આ નિર્ણયને પગલે રાજકોટ સહિત રાજ્યભરના લાખો ગરીબ કાર્ડ ધારકોમાં ભારે દેકારો મચી ગયો છે અને ઠેર-ઠેરથી ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે.

રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરીએ તો અહીં ત્રણ લાખથી વધુ NSFAકાર્ડ હોલ્ડરો છે. જેમાંથી આશરે 70 ટકા કાર્ડ હોલ્ડરોએ જ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. બાકીના 30 ટકા એટલે કે અંદાજે 80 થી 90 હજાર કાર્ડ હોલ્ડરોની કામગીરી હજુ બાકી છે, જેના કારણે તેઓનો પુરવઠો અટકી ગયો છે. દરમિયાન, દુકાનદાર એસોસિએશનના અગ્રણી હિતુ જાડેજા અને પરેશભાઈ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પુરવઠા તંત્રએ ગઈકાલે સાંજે અચાનક આ નિર્ણય લીધો છે, જેના કારણે આગામી દિવસોમાં દુકાનદારો અને કાર્ડ ધારકો વચ્ચે ભારે ઘર્ષણના બનાવો બનવાની શક્યતા છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક દરમિયાનગીરી કરવી જરૂૂરી બની ગયું છે.

એક ચોંકાવનારી માહિતી અનુસાર, સરકારે આ વખતે એકી સાથે બે મહિનાનો પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે. જો કે, ઈ-કેવાયસીના આ નવા નિયમને જોતા આગામી જૂન મહિનામાં રાજકોટ સહિત રાજ્યભરના બાકી રહેલા કાર્ડ હોલ્ડરોને પુરવઠો મળશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. ગરીબ અને જરૂૂરિયાતમંદ પરિવારો માટે આ નિર્ણય ભારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હવે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે રેશનકાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ થયેલું હશે, તેવા કાર્ડધારકોને જ રાશનનો જથ્થો મળશે. જેને પગલે આજે વહેલી સવારથી જ રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવવા માટે ઉમટી પડ્યા હતા.ઈ-કેવાયસી માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા કાર્ડધારકો વહેલી સવારથી જ આવીને લાઈનમાં ઊભા રહ્યા હતા.

Tags :
E-KYCgujaratgujarat newsrajkotrajkot newsRations card
Advertisement
Advertisement