રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટની માતા-પુત્રી સાથે તાંત્રિક વિધિના નામે રૂ.3.31 લાખની ઠગાઇ : યુવતી સાથે દુષ્કર્મ

12:04 PM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ ની મા દીકરીને અમરેલીના એક યુગલે તાંત્રિક વિધિમાં ફસાવી રાજકોટ ની એક મહિલા અને વિસાવદર ના બે ભુવા સાથે મળી ઘરમાં મેલું છે તેમ કહી વિધીના નામે રુ.3.13 લાખ પડાવી વિધિના નામે મહિલાની પુત્રી સાથે દુષ્કર્મ આચરી અન્ય છ શખ્સો ના હવાલે કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ અમરેલી તાલુકામા નોંધાતા પોલીસે બે મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરેલ હતી.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ધરમ નગર વિસ્તાર ના આવાસ યોજના કવાટર મા રહેતી એક મહિલાને ઘરમાં મુશ્કેલી હોવાથી રાજકોટ ની એક મહિલા ભારતીબેન પ્રકાશભાઈ ગોંડલીયા ના સંપર્ક મા આવેલ હતી. તેમણે અમરેલીના મુકેશ ભેસાણીયા નામના તાંત્રીક વિધિ કરી મુશ્કેલી દૂર કરતા હોવાનું જણાવેલ હતું.જેથી આ મા દીકરીએ અમરેલીના તાંત્રિક અને તેમની પત્ની રાધિકાબેન નો સંપર્ક કરેલ હતો.આ તાંત્રિક પતિ પત્નીએ માં દીકરીને પોતાની ચૂંગાલમાં પુરેપુરા ફસાવી દીધા હતા.આ સમગ્ર તાંત્રિક વિધીના ષડયંત્ર મા વિસાવદર ના બે ભુવા સુનિલ રાવળ અને દિનેશ રિબડીયા પણ સંડોવાયેલ હતા.તાંત્રિક અમરેલી ના પતિ પત્ની,રાજકોટ ની એક મહિલા અને બે ભુવા સહિત પાંચેય ચીટરે માં દીકરીને તમારા ઘરમાં મેલું છે તેને કાઢવા વિધિ કરવી પડશે.તેમ કહી કટકે કટકે મહિલા પાસેથી રુ.3.13 લાખ જેવી રકમ પડાવી લીધેલ હતી.આ ચીટર ટોળકી આટલેથી અટકેલ ન હતી. મુકેશ ભેસાણીયા એ મહિલાની પુત્રી ને પોતાની સાથે શરીર સબંધ ન બાંધે તો તેમનો પુત્ર મરી જશે તેમ કહી દુસ્કર્મ આચરેલ હતું.તાંત્રિક મુકેશ અને તેમની પત્ની રાધીકાએ અમરેલી,સાવર કુંડલા, સિમરણ,વિસાવદર પંથકમાં છ જેટલા અન્ય શખ્સો સાથે શરીર સબંધ બાંધવા મજબુર કરેલ હતી.

દુષ્કર્મ નો ભોગ બનનાર યુવતી અને તેમની માતા એ ગઈ કાલે અમરેલી તાલુકા પોલીસમાં મુકેશ ભેસાણીયા તેમની પત્ની રાધિકા મુકેશભાઈ રે.બંને અમરેલી,સુનિલ રાવળ,દિનેશ રિબડીયા રે.બંને વિસાવદર,ભારતીબેન પ્રકાશભાઈ ગોંડલીયા રે.રાજકોટ સહિત પાંચ સામે રુ.3.13 લાખ પચાવી પાડી અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ નોંધાવતા અમરેલી તાલુકા પોલીસ પી.એસ.આઈ. આર.જી.ચૌહાણ ની ટીમે પાંચેય આરીપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધેલ હતા.તેમજ આ ઘટનામા અન્ય સન્ડોવાયેલા આરીપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ છે.તાંત્રિક વિધીના નામે છેતરપિંડી અને અવાર નવાર બળાત્કાર ની ઘટના થી ભારે ચકચાર મચી ગયેલ હતી.

Tags :
crimecrime newsgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement