For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડ

05:26 PM May 08, 2025 IST | Bhumika
રાજકોટ જિલ્લાનું ધો 10 માં 87 19 ટકા પરિણામ  3304ને એ 1 ગ્રેડ
oplus_0

ગ્રામ્યમાં સૌથી વધારે અમરાપુર કેન્દ્રનું 98.34 અને નીચુ ભાયાવદરનું 71.20 ટકા, શહેરમાં માલવિયાનગરનું 95.99 સૌથી વધુ અને કરણપરા તળિયે : 5000 થી વધારે વિદ્યાર્થીઓ નાપાસ, 34190 છાત્રો ઉત્તીર્ણ

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો 10 નુ પરીણામ જાહેર કરવામા આવ્યુ હતુ જેમા રાજકોટ જીલ્લાનુ ગત વર્ષ કરતા 1.96 ટકા વધારે પરિણામ જાહેર થયુ છે. રાજકોટનુ આ વર્ષનુ 87.19 ટકા પરીણામ આવ્યુ છે જેમા 3304 છાત્રોએ એ - વન ગ્રેડ મેળવ્યો છે.

રાજકોટ જીલ્લામા 39768 વિધાર્થીઓની નોંધણી થઇ હતી જેમાથી 39212 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમા 34190 વિધાર્થી પાસ થયા હતા અને 5022 વિધાર્થીઓ નાપાસ થયા હતા. પાસ થનાર વિધાર્થીઓમા 3304 ને એ વન, એ ટુ મા 7060, બી વનમા 7561, બી ટુ મા 7554, સી - 1 મા 6024, સી ટુ માં 2543 અને 144 વિધાર્થીઓએ બી ગ્રેડ મેળવ્યો હતો ઉપરાંત 2023 કરતા રાજકોટ જીલ્લાનુ 14.45 ટકા રેકોર્ડ બ્રેક પરીણામ આવ્યુ છે.

Advertisement

ગુજરાત બોર્ડ દ્વારા રાજકોટ શહેર અને જીલ્લામા કુલ 39 કેન્દ્રો ફાળવવામા આવ્યા હતા જેમા સૌથી વધુ અમરાપુર કેન્દ્રનુ 98.34 ટકા અને સૌથી નીચુ ભાયાવદરનુ 71.20 ટકા પરીણામ આવ્યુ છે જયારે શહેરમા સૌથી ઉંચુ માલવિયાનગરનુ 95.99 અને સૌથી નીચુ કરણપરાનુ 75.57 ટકા આવ્યુ છે.

રાજકોટ ગ્રામ્યમા અન્ય કેન્દ્રોમા ધોરાજીનુ 85.74, ગોંડલનુ 88.23, જેતપુરનુ 83.07, જસદણનુ 84.75, ઉપલેટાનુ 78.86, જામકંડોરણાનુ 71.53, દેરડી કુંભાજીનુ 86.41, પડધરીનુ 84.66, વિંછીયાનુ 77.65, આટકોટનુ 90.42, ખામટાનુ 97.34, વિરપુરનુ 87.20, ચાંદલીનુ 84.47, ત્રંબાનુ 84.41, મોઢુકાનુ 89.32, આંબરડીનુ 93.38, ભાડલાનુ 76.25, કોટડા સાંગાણીનુ 92.59, કુવાડવાનુ 79.92, મોટી પાનેલીનુ 58.06, વાંગધ્રાનુ 96.21, રૂપાવટીનુ 96.18, અમરનગરનુ 89.73, મોવૈયાનુ 79.34 અને સરધારનુ 88.29 ટકા પરીણામ આવ્યુ છે. ઉપરાંત રાજકોટ શહેરમા ભકિતનગરનુ 91.68, માલવિયાનગરનુ 95.99, કોઠારીયાનુ 90.25, વૈશાલીનગરનુ 95.16, પોપટપરાનુ 86.37, બજરંગવાડીનુ 85.27, કોટેચાનગરનુ 87.64, નવા થોરાડાનુ 82.05, લક્ષ્મીનગરનુ 88.45, રેસકોર્ષનુ 92.75 , કરણપરાનુ 75.57 અને રણછોડનગરનુ 87.77 ટકા પરીણામ જાહેર થયુ છે. પરીણામ જાહેર થતા વિધાર્થીઓએ મોઢા મીઠા કરી, ફટાકડા ફોડી અને રાસ ગરબા રમી ઉજવણી કરી હતી.

122 શાળાનું 100 ટકા પરિણામ
રાજકોટને શિક્ષણનુ હબ ગણવામા આવે છે. સૌરાષ્ટ્રભરમાથી છાત્રો અભ્યાસ અર્થે આવી રહયા છે. આજે ધો 10 ના પરીણામમા રાજકોટ જીલ્લાની 122 શાળાનુ પરીણામ 100 ટકા આવ્યુ છે જયારે માત્ર 15 શાળાનુ પરીણામ જ 30 ટકાથી ઓછુ આવ્યુ છે. 400 શાળાનુ 70 થી 90 ટકા પરીણામ જાહેર થયુ છે.

પિતાનો સંઘર્ષ ચમકયો, કલર કામ કરનારનો પુત્ર રાજયમાં પ્રથમ
રાજકોટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ વર્ષે, રાજકોટના એક સામાન્ય પરિસ્થિતિના વિદ્યાર્થી સમીર ગોહિલે 99.99 પર્સેન્ટાઇલ રેન્ક (PR) મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જે શહેર માટે ગૌરવની વાત છે. સમીર ગોહિલે 600માંથી 593 ગુણ મેળવ્યા છે. તેણે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને સંસ્કૃત જેવા વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે ગણિતમાં તેણે 99 ગુણ મેળવ્યા છે સમીરની આ ભવ્ય સફળતા પાછળ તેની સખત મહેનત અને તેના માતા-પિતાનો સહયોગ રહેલો છે. સમીરના પિતા, જીતેન્દ્રભાઈ ફર્નિચર અને કલરના કામકાજ સાથે સંકળાયેલા છે. સમીરે જણાવ્યું કે, તેના માતા-પિતાનું સપનું હતું કે તે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવે અને આજે તેણે તેમનું આ સ્વપ્ન સાકાર કર્યું છે. પોતાના ભવિષ્યના લક્ષ્યો વિશે વાત કરતાં સમીરે જણાવ્યું કે, તે આગળ કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે અને તેનું લક્ષ્ય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) , બોમ્બેમા પ્રવેશ મેળવવાનું છે. સમીરની આ પ્રેરણાદાયી કહાની અન્ય વિદ્યાર્થીઓ માટે પણ એક ઉદાહરણરૂૂપ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, જો ધગશ અને મહેનત હોય તો સફળતા ચોક્કસ મળે છે. સમગ્ર રાજકોટ શહેરમાં સમીરની આ સિદ્ધિની ભારે પ્રશંસા થઈ રહી છે અને તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement