For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેનનું અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ

11:31 AM Mar 25, 2025 IST | Bhumika
રાજકોટ ભુજ સ્પેશિયલ ટ્રેનનું અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ

Advertisement

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારા નું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે: 1. ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 26 માર્ચ 2025થી રાજકોટથી 14.30 કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 19.27/19.29 કલાકે અને અંજાર સ્ટેશન પર 19.36/19.38 કલાક નો રહેશે તથા 20.55 કલાકે ભુજ પહોંચશે. 2. ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 26 માર્ચ 2025 થી ભુજથી 06.50 કલાકે ઉપડશે તથા અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.18/07.20 કલાકે અને આદિપુર સ્ટેશન પર 07.29/07.31 કલાકનો રહેશે તથા 13.15 કલાકે રાજકોટ પહોંચશે. વધુ માહિતી માટે મુસાફરો કૃપા કરીનેwww. enquiry. indian rail. gov.inની મુલાકાત લઈ શકે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement