રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ રિમાન્ડ પર
02:54 PM Nov 12, 2025 IST | admin
રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં છેલ્લા છ મહીનાથી ફરાર રહેલા અને ગઇકાલે તાલુકા પોલીસમાં સરેન્ડર થયેલા રાજદિપસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કર્યા બાદ રાત્રે દશ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે એડી.ચિફ.જ્યુડી.મેજિસ્ટ્રેટ રાઠોડનાં નિવાસસ્થાને રજુ કરતા બે દિવસનાં રિમાન્ડ મંજુર કરાયા હતા.
Advertisement
પોલીસે રાજદિપસિંહની અમીત ખુંટ આપઘાત કેસમાં શું ભુમિકા છે ?અન્ય આરોપીઓ બનાવ સાથે કઇ રીતે જોડાયેલા છે ? છ મહીના દરમ્યાન રાજદિપસિંહે ક્યા આશરો મેળવેલો તે સહિતનાં મુદ્દે પુછપરછ કરવાની હોય દશ દિવસની રિમાન્ડની માંગ કરી હતી.
Advertisement
Advertisement