રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદમાં નીચે પડતું મૂકી રેલ્વે એન્જિનિયરે મોતને વ્હાલું કર્યું, જુઓ CCTV

03:16 PM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં આપઘાતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ. સવારે 7 વાગ્યાની આસપાસ મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

મળતી વિગતો અનુસાર 54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આજે સવારે 7 વાગ્યે મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સુઈ આપધાત કર્યો હતો. મણિનગરમાં CNI ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

આ વિડીયોમાં જોવા મળ્યું હતું કે, ફાટક પાસે વાહનચાલકો ઉભા હતા ત્યારે જ અશ્વિન રાઠોદ ફાટક પાસે આગળ આવ્યા અને ટ્રેનની સામે જ સૂઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઇ હતી. ત્યારે આ ઘટનાને લઇ મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરૂ કરી.

Tags :
AhmedabadAhmedabad newsgujaratgujarat newsRailway engineersuicide
Advertisement
Next Article
Advertisement