ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રેલનગરની પરિણીતાનો રેસકોર્સમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

05:30 PM Apr 15, 2025 IST | Bhumika
oplus_2097152
Advertisement

ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

Advertisement

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ રેસકોર્ષમાં સ્વીમીંગપુલ પાસે ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવી છે.

જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં ગંગોત્રી પાર્કમાં રહેતી ર્કિતીબેન અતુલભાઇ નીથીયા (ઉ.વ.30) નામની પરિણીતાએ આજે બપોરે રેસકોર્ષ અંદર સ્વીમંગપુલ પાસે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેનો પતિ વાંકાનેર નજીક ટ્રેકટર કંપનીમાં નોકરી કરતો હોવાનુ અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું ે છે. તેણીએ આ પગલુ શા માટે ભરી લીધુ તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં બાલાજી હોલ પાસે ચંદ્રેશનગરમાં રહેતી બીનાબેન દિનેશભાઇ પરમાર (ઉ.વ.28)નામની યુવતીએ આજે બપોરે પોતાના ઘરે અગમ્ય કારણસર એસીડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાઇ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement