For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવસારીમાં હડકાયા કૂતરાંઓનો હાહાકાર, ચાર દિવસમાં 70 લોકોને બચકાં ભર્યા

04:57 PM Jan 17, 2025 IST | Bhumika
નવસારીમાં હડકાયા કૂતરાંઓનો હાહાકાર  ચાર દિવસમાં 70 લોકોને બચકાં ભર્યા

નવસારીમાં દર્દીઓની લાઇન લાગી હતી. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 લોકોને બચકા ભર્યા છે. આ ઉપરાંત શહેરના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા અને મોટા બજાર વિસ્તારમાં વધુ 10 લોકો કૂતરાઓના શિકાર બન્યા છે.

Advertisement

નવસારી સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા ચાર દિવસમાં શહેરી વિસ્તારમાંથી કૂતરાઓના કરડવાના 70 કેસ નોંધાયા છે. કૂતરાઓએ મોટાભાગે લોકોના હાથ-પગના ભાગે બચકા ભર્યા છે, જેના કારણે દર્દીઓને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.આ અંગે ભેસતખાડા વિસ્તારના આગેવાને જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં ભેસતખાડા, ઝવેરી સડક સહિતના પાંચથી વધુ વિસ્તારોમાં 50થી વધુ લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે તેમ છતાં પણ મહાનગરપાલિકા આ મામલે કોઈ પણ કામગીરી હાથ ધરી નથી. વહીવટી તંત્રના અધિકારીઓને આ મામલે જાણ કરી હોવા છતાં પણ તેમનું પેટનું પાણી હલતું નથી. ભૂતકાળમાં નવસારી નગરપાલિકા હતી તે સમયે રસીકરણને લઈને યોજના બનાવવામાં આવી હતી પરંતુ તેનું યોગ્ય ટેન્ડરિંગ ન થતાં આ યોજના પણ પાણીમાં ગઈ હતી.

નવસારી સિવિલ હોસ્પિટલના છખઘ વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં સિવિલમાં 25થી વધુ લોકોએ સ્વાન કરડવા મામલે સારવાર લીધી છે. સ્વાન કરડવાના કેસમાં વ્યક્તિ દ્વારા તાત્કાલિક જખમો પર પાણી લગાવી સાફ કરવું જોઈએ જેથી તેને હડકવાની બીમારી લાગે નહીં. અમારે ત્યાં શ્વાન કરડાવાને લઈને ઇન્જેક્શન મારી તાત્કાલિક સારવાર કરવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement