રાહુલ ગાંધીને દલિતોને મળતા અટકાવાતા રાજકોટમાં વિરોધ
05:42 PM May 17, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
તાજેતરમાં બિહારમાં જ્યારે રાહુલ ગાંધી દલિત વિધાર્થીઓના દુ:ખમાં સહભાગી થવા જઈ રહ્યા હોય ત્યારે બીજેપી જેડીયુ અને આરએસએસ ની સરકાર દ્વારા રાહુલ ગાંધીજીને વિદ્યાર્થીઓના દુ:ખમાં સહભાગી થવા જવા નથી દેવામાં આવતા અને રાહુલ ગાંધીજી ઉપર ગેરકાયદેસર રીતે ફરિયાદ કરવામાં આવે છે આ ફરિયાદ રાહુલ ગાંધીજી ઉપર નહીં પરંતુ દલિત વિધાર્થીઓ ઉપર થઈ હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે આજે રાજકોટ એનએસયુઆઈ કોટેચા ચોક ખાતે દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. થોડીવારમા જ વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામને ડીટેઇન કરીને પોલીસ હેડ કવાર્ટર, રેસકોર્ષ ખાતે લઇ જવાયા હતા .