ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી લાતી પ્લોટમાં જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા વેપારીઓનો વિરોધ

12:29 PM May 02, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર શેરી નં.2ના નાકે લક્ષ્મી ચેમ્બરમાં આજે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. જેનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 4 મીટર જાણ કર્યા વગર જ બદલાવી નાખવામાં આવ્યા હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ વેપારીઓએ કામગીરી અટકાવી દીધી છે. સામે પીજીવીસીએલના કર્મચારીઓએ પણ ઉપરી કક્ષાએ જાણ કરી હવે શું કરવું તે અંગે સૂચન માંગ્યું છે.વેપારી હિરેનભાઈ ગાંધીએ જણાવ્યું કે અત્યારે કોઈ પણ જાણ કર્યા વગર 4 જગ્યાએ મીટર નાખવામાં આવ્યા છે.

અમને ફરી જુના મીટર નાખી દયે. જો અમને જુના મીટર નહિ નાખી દયે તો અનસન ઉપર ઉતરીશું. જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે તેઓની દુકાનમાં કઈ પણ પૂછ્યા વગર સીધું મીટર બદલવામાં આવ્યું છે. કોઈ વધુ માહિતી આપ્યા વગર સીધા બદલવા લાગ્યા હતા. જો બદલવું હોય તો આખા શોપિંગ સેન્ટરમાં બધાનું બદલવામાં આવે, અથવા અમને જૂનું મીટર નાખી દેવામાં આવે.

કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું કે કોમ્પ્લેક્ષમાં 4 મીટર બદલાવી નાખ્યા બાદમાં અમને જાણ થઈ પછી અમે મીટર બદલવાની ના પાડી દીધી છે. આ લોકોએ કોઈની સાઈન લીધી નથી, કોઈને કહ્યું નથી, પોતાની રીતે જ મીટર બદલાવી નાખ્યા છે. જુના મીટરના સિલ તોડી સ્માર્ટ મોટર નાખી દેવામાં આવ્યા છે હવે એમ કહે છે કે નવા મીટરના સિલ તોડવાની અમારી ઓથીરિટી નથી. કોઈ પણ સહમતી વગર દાદાગીરીથી મીટર બદલાવી નાખવામાં આવ્યા છે.

---

 

 

Tags :
crimegujaratgujarat newsmorbimorbi newssmart meters
Advertisement
Advertisement