રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકા હાઈવે પર હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

12:06 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

યાત્રાધામ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના તહેવારો દરમ્યાન ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને દર્શનાર્થે આવે છે. ત્યારે આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. 26 માર્ચના રાત્રે 8 વાગ્યા સુધી થ્રી વ્હીલર, કાર, ટ્રક, ટોરસ, ડમ્પર, બસ જેવા ભારે વાહનો માટે લીંબડી ચેક પોસ્ટથી ચરકલા જતા રોડ તેમજ કાનદાસબાપુ આશ્રમ ચાર રસ્તાથી ચરકલા તરફ જતા રોડ તેમજ ચરકલા તરફ જતા રેલવે ફાટકથી હેથ્રોન હોટલ બાજુના રોડને પ્રવેશબંધી પોઇન્ટ જાહેર કરાયો છે.

Advertisement

જ્યારે લીંબડી ચેક પોસ્ટથી ભાટીયા બાયપાસ - કુરંગા ચોકડી, ઓખામઢી - બરડિયા થઈ દ્વારકા તેમજ દ્વારકા તરફથી બરડિયા - કુરંગા - ભાટીયા લીંબડી ચેકપોસ્ટ - ખંભાળિયા સુધી ડાયવર્ઝન જાહેર કરાયું છે.આ જાહેરનામું ઇમરજન્સી વાહનોને તથા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

દ્વારકા ખાતે ચાલીને આવતા દર્શનાર્થીઓના કારણે ખંભાળિયા દ્વારકા માર્ગ પર અવિરત રીતે ટ્રાફિક હોવાથી આ પરિસ્થિતિમાં કોઈ અકસ્માત ન સર્જાય અને કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે સક્ષમ અધિકારી દ્વારા ગતિમર્યાદામાં વાહન ચલાવવા અંગેના જાહેરનામા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ શરૂૂ થાય ત્યાંથી ઝાખર પાટીયા - ખંભાળિયા - રાણ લીંબડી - ભાટીયા - દ્વારકાનો રૂૂટ, ઝાખર પાટીયા - ખંભાળિયા - રાણ લીંબડી - ગુરગઢ - દ્વારકાનો રૂૂટ, દ્વારકા - ઓખાનો રૂૂટ, દ્વારકા - નાગેશ્વરનો રૂૂટ, ભાટીયા - હર્ષદ માતાજી (ગાંધવી)નો રૂૂટ, હર્ષદ માતાજી (ગાંધવી) દ્વારકાના રૂૂટ પર પસાર થતા વાહન ચાલકોએ તા. 26 સુધી તેમનું વાહન 40 કિ.મી. પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ રહેશે.આ જાહેરનામું સક્ષમ અધિકારીઓ દ્વારા પરવાનગી અપાયેલા વાહનો, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં.

 

વન-વે પોઈન્ટ જાહેર કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ દ્વારકામાં કેટલાક વન-વે પોઈન્ટ જાહેર કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામા અંતર્ગત દ્વારકા શહેરમાં જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા સુધી અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને તારીખ 26 ના રોજ રાત્રે 8 વાગ્યા સુધી પ્રવેશબંધી માત્ર એક્ઝિટ એટલે કે, વન-વે ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષા પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

નવા ગોમતી ઘાટ પર ઊંટ સવારી બંધ કરાવી ઊંટ માલિકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા
હોળી ફુલડોલ તહેવારને લીધે અસંખ્ય ભાવિકો કુષ્ણ ભક્તો દ્વારકા પધારી રહ્યા હોય ત્યારે યાત્રિકો ઉંટ સવારીનો આનંદ લેતા હોય છે ઉંટ સવારી બંધ કરાવવા માટે હાલ તંત્ર દ્વારા કોઈ કારણ દર્શાવવામાં આવ્યું ન હતું અને ક્યારે ચાલું થશે એ પણ હાલ જણાવ્યું નથી, દ્વારકાના નવા ગોમતી ઘાટ ખાતે પોલીસ અને પોલીસ તંત્ર દ્વારા ઉંટ સવારી બંધ કરવામાં આવી હતી સંખ્યાબંધ ઉંટ માલિકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા દંડ ફટકારાયો હતો.

નો-પાર્કિંગ ઝોન
દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા પાર્કિગ-ઝોન અને નો-પાર્કિંગ ઝોન અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં દ્વારકા શહેરમાં તા. 26 સુધી પૂર્વ દરવાજાથી જોધાભા માણેક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઈટ સુધી, ત્રણબત્તી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા અને ત્રણબત્તી ચોકથી ભદ્રકાલી રોડ સુધી, હોમગાર્ડ ચોકથી ત્રણબત્તી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ ચોક સુધીના તેમજ શાક માર્કેટ ચોકની આજુ બાજુનો વિસ્તાર 50 મીટરની ત્રિજ્યાના વિસ્તાર તથા એસ.ટી. ડેપોના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તાર તેમજ, કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક અને ભદ્રકાલી ચોકની આજુ-બાજુના 200 મીટર ત્રિજ્યાના વિસ્તારને નો-પાર્કીંગ ઝોન તથા હાથી ગેટ, સર્કીટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન, રાજપુત સમાજ વાડી સામે ગોમતી ઘાટનું ખુલ્લું મેદાન અને સ્વામિનારાયણ મંદીરના ગ્રાઉન્ડનું પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement