For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવતું તંત્ર

01:05 PM Apr 16, 2025 IST | Bhumika
ઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવતું તંત્ર

ચિચોડા, તરબૂચ અને કેરીના સ્ટોલ સહિતના એક ડઝનથી વધુ મંડપ સમિયાણા ઉપાડી લીધા

Advertisement

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેના ભાગરૂૂપે આજે ઔષવાળ હોસ્પિટલના સર્કલથી પવનચક્કી થઈને સાધના કોલોની રણજીતસાગર રોડ પરના તમામ સ્થળોએ થી દબાણ દૂર કરવાની કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની મોટી ટુકડી આજે રણજીત સાગર રોડ પર દોડતી થઈ હતી, અને ત્રણ જેટલા ટ્રેકટર માં રેકડી પથારાના માનસામાન ની જપ્તિકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ઉપરોક્ત માર્ગે મોટાપાયે શેરડીના રસ ના ચિચોડા અથવા તો કેરીના રસના સ્ટોલ ઊભા કરાવી દેવાયા હતા. ઉપરાંત તરબૂચ, કેરી તથા અન્ય ફળ ફ્રૂટ ના વેચાણના સ્ટોલ માટે હંગામી છાવણી ઊભી કરી દેવામાં આવી હતી, તેવા 15 જેટલા સ્ટોલ હટાવી લેવામાં આવ્યા છે, અને આશરે ત્રણ ટ્રેક્ટર ભરીને માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.એસ્ટેટ શાખાની આ કાર્યવાહીને લઈને ઉપરોક્ત વિસ્તારમાં રેકડી પથારાના ધંધાર્થીઓમાં ભારે નાસભાગ થઈ હતી.

---

Advertisement
Tags :
Advertisement
Advertisement